હીરાસર ગામે રાત્રિના ટ્રકમાંથી તાડપત્રી ઐંચકી સિગારેટના ચાર બોકસ કે જેની કિંમત રૂપિયા ૧.૮૦ લાખ હોય તે ચોરી થઈ ગયા અંગેની એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ચોરીના આ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં જલારામ પ્લોટ શેરી નંબર ૨ માં રહેતા અને ડા ટ્રાન્સપોર્ટનગરમાં ધ્યેય ઈન્ટિગ્રેટર નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરનાર સંજયભાઈ ફતેહલાલ પોરવાલ(ઉ.વ ૫૧) દ્રારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.સંજયભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. ૮૫ ના રાત્રીના આઠેક વાગ્યે અમદાવાદ અસ્લાલી અમારા ટ્રાન્સપોર્ટની કંપનીનો ટ્રક જીજે ૮ ઝેડ ૯૨૧૪ ના ટ્રકના માલિક મનોજભાઈ દેવજીભાઈ રાઠોડ ટ્રકમાં અસ્લાલી ટ્રાન્સપોર્ટથી સિગારેટના બોકસ તથા પરચુરણ સામાન ભરી રાજકોટ આવવા માટે નીકળ્યા હતા. બાદમાં તારીખ ૯ ૫ ના સવારના સાત વાગ્યે મનોજ રાઠોડનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આજરોજ રાત્રીના દોઢેક વાગ્યે મારા ગામ હિરાસરમાં આવી ગયા બાદ ટ્રક અહીં ઘર બહાર ખુલ્લામાં રાખ્યો હતો.
સવારે સાત વાગ્યે જાગી જોયું તો ટ્રકમાં પાછળના ભાગે તાલપત્રી વિખેલી હાલતમાં હતી અને દોરડા કાપેલા હતા જેથી તમે અહીં હીરાસર આવો બાદમાં સંજયભાઈ અહીં હીરાસર પહોંચ્યા હતા.સંજયભાઈએ અહીં આવી તપાસ કરતા ટ્રકમાં સિગારેટના કુલ ૨૯ બોકસ તથા બીજો પરચુરણ સામાન ભરેલો હતો તેમાંથી સિગારેટના ચાર બોકસ જે એક બોકસની કિંમત પિયા ૪૫,૦૦૦ હોય જેથી અંદાજિત પે ૧.૮૦ લાખની રકમનો સામાન કોઈ ચોરી કરી ગયું હોવાનું માલુમ પડું હતું.જેથી તેમણે આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીની આ ઘટના અંગે ગુનો નોંધી રાત્રિના ટ્રકમાંથી સામાન ચોરી જનારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech