રામકથાનાં સરળ માધ્યમથી વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુની પ્રેરણાથી તેમનું વતન તલગાજરડા સૌરગ્રામ બની રહ્યું છે. ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ( શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ) ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે આ પ્રકલ્પનો શુભારંભ થયો હતો.
મહુવા પાસેનું તલગાજરડા ગામ એટલે મોરારિબાપુનું ગામ. આ ગામ હવે સૂર્ય ઉર્જાથી ઝળહળાટ કરતું થશે. પ્રારંભિક તબક્કે અહીંના ચાર સો જેટલાં ઘર પરિવારને વિનામૂલ્યે સૌર ઉર્જાનાં ઉત્પાદક ઉપકરણો લગાવવામાં આવી રહ્યાં છે.
કથા કે શાસ્ત્ર માત્ર સંકુચિતતા કે અંધશ્રધ્ધામાં ન ફેરવાય અને નવા આયામો સાથે સમાજમાં સનાતન હિતમાં પ્રસરતા રહે તેવો મોરારિબાપુનો કાયમ સદ આગ્રહ રહ્યો છે, જેનો લાભ સૌને મળતો રહ્યો છે. આમ, રામકથાનાં સરળ માધ્યમથી વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુની પ્રેરણાથી તેમનું વતન તલગાજરડા સૌરગ્રામ બની રહ્યું છે.
લાઠી તથા સુરતમાં વ્યવસાય કરતાં ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ( શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ) ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે આ પ્રકલ્પનો મોરારિબાપુનાં હસ્તે આરંભ થયો છે. આમ, સૂર્ય વંદના માત્ર પુસ્તકમાં ન રહે પરંતુ સૂર્ય કૃપા સૌને ફળે તે માટેનો સ્તુત્ય પ્રયાસ રાષ્ટ્ર માટે પણ પ્રેરણાદાયી છે અને અન્ય ઈંધણ કે ઊર્જા ઉપયોગનાં સ્થાને સૂર્ય અને અન્ય પ્રાકૃતિક ઊર્જાનો ઉપયોગ કરવાં પણ મોરારિબાપુએ અનુરોધ સંદેશ આપી અગ્રણીઓની ઉપસ્થિતિ સાથે આ કાર્ય આરંભ કરાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech