ડેન્ટલ કોલેજ જામનગર ખાતે થેલેસેમિયા સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન;કોલેજના ૧૪૪ વિદ્યાર્થીઓનું સ્ક્રિનિંગ કરાયું
જામનગરમાં થેલેસેમિયા રોગ વિશે જાગૃતિ ફેલાવવા તથા વિદ્યાર્થીઓનું પ્રારંભિક તબક્કે નિદાન કરવા અને થેલેસેમિયા રોગને આગળ વધતો અટકાવવા સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગરના ડીનશ્રી ડો.નયના પટેલ તથા ભારતીય રેડક્રોસ સોસાયટી, જામનગર શાખાના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં થેલેસેમિયા સ્ક્રિનિંગને ફરજિયાત બનાવવાની માર્ગદર્શિકાના ભાગરૂપે જામનગર ડેન્ટલ કોલેજ ખાતે થેલેસેમિયા સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં સંસ્થા ખાતે અભ્યાસ કરતા ફર્સ્ટ બી.ડી.એસ. તથા બાકી અન્ય વર્ષના વિદ્યાર્થીઓ પૈકીના કુલ ૧૪૪ કરતાં વધુ વિદ્યાર્થીઓનું નિષ્ણાંત આરોગ્યકર્મીઓ તથા લેબ ટેકનીશીયનની ટીમ દ્વારા સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. તેમજ તમામ વિદ્યાર્થીઓને થેલેસેમિયા રોગ, રોગનો પ્રભાવ અને તેને રોકવાના પગલાં વિશે શિક્ષિત કરવા માહિતીપત્રક અને કાઉન્સેલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
થેલેસેમિયા મેજર સાથેના બાળકોના જન્મને રોકી શકાય તેમજ વર્ષ-૨૦૨૫ ના અંત સુધીમાં થેલેસેમિયા મુક્ત ભારતના સરકારના સ્વપ્નને સાકર કરી શકાય તે હેતુથી લગ્ન પહેલા થેલેસેમિયા રોગનું પરીક્ષણ અને કાઉન્સેલિંગના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગર તેના વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીગણ તથા અધિકારીગણના સર્વાંગી આરોગ્ય અને કલ્યાણ માટે આ પ્રકારની પહેલ આગામી સમયમાં પણ શરૂ રાખશે તેમ સંસ્થાના ડીન દ્વારા જણાવાયુ હતુ...
જામનગરમાં થેલેસેમિયા રોગ વિશે જાગૃતિ ફેલાવવા તથા વિદ્યાર્થીઓનું પ્રારંભિક તબક્કે નિદાન કરવા અને થેલેસેમિયા રોગને આગળ વધતો અટકાવવા સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગરના ડીનશ્રી ડો.નયના પટેલ તથા ભારતીય રેડક્રોસ સોસાયટી, જામનગર શાખાના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં થેલેસેમિયા સ્ક્રિનિંગને ફરજિયાત બનાવવાની માર્ગદર્શિકાના ભાગરૂપે જામનગર ડેન્ટલ કોલેજ ખાતે થેલેસેમિયા સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં સંસ્થા ખાતે અભ્યાસ કરતા ફર્સ્ટ બી.ડી.એસ. તથા બાકી અન્ય વર્ષના વિદ્યાર્થીઓ પૈકીના કુલ ૧૪૪ કરતાં વધુ વિદ્યાર્થીઓનું નિષ્ણાંત આરોગ્યકર્મીઓ તથા લેબ ટેકનીશીયનની ટીમ દ્વારા સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. તેમજ તમામ વિદ્યાર્થીઓને થેલેસેમિયા રોગ, રોગનો પ્રભાવ અને તેને રોકવાના પગલાં વિશે શિક્ષિત કરવા માહિતીપત્રક અને કાઉન્સેલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
થેલેસેમિયા મેજર સાથેના બાળકોના જન્મને રોકી શકાય તેમજ વર્ષ-૨૦૨૫ ના અંત સુધીમાં થેલેસેમિયા મુક્ત ભારતના સરકારના સ્વપ્નને સાકર કરી શકાય તે હેતુથી લગ્ન પહેલા થેલેસેમિયા રોગનું પરીક્ષણ અને કાઉન્સેલિંગના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગર તેના વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીગણ તથા અધિકારીગણના સર્વાંગી આરોગ્ય અને કલ્યાણ માટે આ પ્રકારની પહેલ આગામી સમયમાં પણ શરૂ રાખશે તેમ સંસ્થાના ડીન દ્વારા જણાવાયુ હતુ...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડત્રા પોલીસ મથક હરીયાળુ બનશે, પટાંગણમાં 50 વૃક્ષોનું આરોપણ
June 09, 2025 09:47 AMકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech