લોહયુગની શરૂઆત તુર્કીમાં નહીં પણ તેના પણ એક હજાર વર્ષ પહેલા તમિલનાડુમાં થઈ હતી. અત્યારસુધી એવું જ માનવામાં આવતું હતું કે, તુર્કીએ જ સૌથી પહેલા ઇસવીસન પૂર્વે 1380માં લોહયુગની શરૂઆત કરી હતી. પરંતુ હાલમાં જ તુતુકુડી જિલ્લાના સિવાગલાઇમાં ખોદકામ દરમિયાન મળેલા કળશ અને અન્ય લોખંડની વસ્તુઓએ આ ધારણાને ખોટી સાબિત કરી છે. સંશોધનમાં એવું સામે આવ્યું છે કે, 5300 વર્ષ પહેલા ભારતમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સિવાગલાઈમાંથી લેવામાં આવેલા નમૂનાઓનું વિશ્લેષણ ત્રણ અગ્રણી સંશોધન પ્રયોગશાળાઓ કરવામાં આવ્યું હતું. જેમાં યુએસમાં બીટા એનાલિટિક્સ, અમદાવાદમાં ભૌતિક સંશોધન પ્રયોગશાળા અને લખનઉમાં બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલેઓસાયન્સનો સમાવેશ થાય છે. દરેકના પરીક્ષણમાં આ વસ્તુઓનું વર્ણન લગભગ એક જ સમયનું હોવાનું જણાવ્યું છે.
તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીને ચેન્નાઈના કોટ્ટુરપુરમ સ્થિત અન્ના સેન્ટેનરી લાઇબ્રેરીમાં પુરાતત્વ વિભાગ વતી 'એન્ટિક્વિટી ઓફ આયર્ન' પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, હું દુનિયાને કહી રહ્યો છું કે, લોખંડને પીગળવાની ટેક્નોલોજી 5300 વર્ષ પહેલા તમિલનાડુમાં વિકસાવવામાં આવી હતી. વિશ્વાસ સાથે કહી શકાય કે, દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તમિલનાડુમાં ઇસવીસન પૂર્વે ૩૩૪૫ આસપાસ લોખંડનો ઉપયોગ શરૂ થયો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું કે, તમિલનાડુમાંથી એકત્રિત કરાયેલા નમૂનાઓ વિશ્લેષણ અને રેડિયો કાર્બન ડેટિંગ માટે રાષ્ટ્રીય સંસ્થાઓમાં પણ મોકલવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું છે કે, દક્ષિણ ભારતમાં લોખંડનો ઉપયોગ ઇસવીસન પૂર્વે 3345થી થતો હતો. સ્ટાલિને કહ્યું કે, હું કહેતો આવ્યો છું કે ભારતનો ઇતિહાસ તમિલ ભૂમિથી શરૂ થવો જોઈએ. તમિલનાડુ પુરાતત્વ વિભાગ આ દિશામાં સતત ખોદકામ કરી રહ્યું છે અને આ તારણો આપણા ઇતિહાસમાં એક વળાંક તરીકે ઉભરી રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, આપણે ગર્વથી કહી શકીએ છીએ કે તાજેતરના ખોદકામના પરિણામો દ્વારા, આયર્ન ઓરમાંથી લોખંડ કાઢવાની ટેકનોલોજી ફક્ત તમિલનાડુમાં જ નહીં, ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં તમિલ ભૂમિમાં રજૂ કરવામાં આવી છે. મને દુનિયા સમક્ષ એ જાહેરાત કરતા આનંદ થાય છે કે આપણે વૈજ્ઞાનિક રીતે સ્થાપિત કર્યું છે કે 5300 વર્ષ પહેલાં તમિલ ભૂમિમાં લોખંડનો ઉપયોગ શરૂ થયો હતો. આપણે ગર્વથી તેને તમિલનાડુ તરફથી વિશ્વને એક મહાન ભેટ કહી શકીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech