બાંટવાના ખારો ડેમની કેનાલનું ધારાસભ્યએ સ્વખર્ચે સમારકામ કરાવ્યું છે.
બાંટવા ખારા ડેમની કેનાલ ચોમાસા દરમ્યાન અતિભારે વરસાદ અને ઘોડાપુરના કારણે કેનાલ તુટી ગયેલ હતી.જે રીપેરીંગ કરવા માટે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા પાસે રજુઆત આવતા એકપળની પણ રાહ જોયા વગર ખારા ડેમમાંથી પાણી છોડાવે તે પહેલા કેનાલનું સ્વખર્ચે રીપેરીંગ કામ કરવામાં આવ્યું જેથી કોઈ ખેડુત ભાઈઓની જમીન ધોવાણ ના થાય સાથોસાથ પાણી પણ ના વેડફાઈ અને ખેડુતોને સિંચાઈના પાણીનો પુરેપુરો લાભ મળી રહે.બાંટવા મુકામે આવેલ ખારા ડેમમાંથી કુતિયાણા તાલુકાના ગઢવાણા, રેવદ્રા, ધરસન, તરખાઇ, મૈયારી અને કાંસાબડ ગામેને સિંચાઈના પાણીની જરૂરીયાત હોય એવા વિસ્તારના ખેડુતો દ્વારા ધારસભ્યને રજુઆત કરવામાં આવી હતી અને દર વર્ષે બાંટવા ખારા ડેમમાંથી પાણી છોડવવામાં આવે છે.હાલમાં ઘેડ વિસ્તારમાં મુખ્ય ચણા તથા અન્ય પાકો માટે સિંચાઇના પાણી ખુબ જ જરીયાત હોય તો બાંટવા ખારા ડેમમાંથી તાત્કાલીક પાણી છોડવાની મંજુરી મળી રહે તેવી સિંચાઈ મંત્રીને ભલામણ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ એરપોર્ટ બંધ થવાથી મુસાફરો પરેશાન, રેલવેએ આ બે શહેરો માટે ખાસ ટ્રેનો શરૂ કરી
June 12, 2025 09:52 PMઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech