અદાલતે ફગાવી દીધી છે.
આ અંગેની હકીકત મુજબ રાજકોટમાં ઋષિવંશી સમાજ સેવા સંઘના નામે ગત તા. 22 ફેબ્રુઆરીના રોજ 28 દીકરીઓના સર્વ જ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.તે દિવસે સવારમાં કન્યા પક્ષ અને વર પક્ષના લોકો સમુહલગ્નના સ્થળે પહોંચતા માત્ર મંડપ જ જોવા મળ્યા હતા. અને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા દેખાતી ન હતી. જેથી અયોજકોને ફોન કરાતા તેમના ફોન સતત બંધ આવતા હતા. આમ, સમુહલગ્નના આયોજકો 28 દીકરીઓને રજળતા મૂકી નાસી છૂટતા હાહાકાર મચી ગયો હતો. હરખ સાથે પરણવા આવેલા કન્યા અને વર પક્ષના સભ્યો પરત ફર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે દોડી જઈ કેટલાક હાજર વર-કન્યાના લગ્ન કરાવી આપ્યા હતા. વર-કન્યાને રાતા પાણીએ રડાવનાર ઋષિવંશી સમાજ સેવા સંઘના કહેવાતા આયોજકો વિરુદ્ધ પ્ર.નગર પોલીસમાં સમૂહલગ્નમાં નોંધણી કરાવનાર એક દીકરીના પિતા કાનજીભાઈ દેવશીભાઈ ટાટમીયા (રહે. શાપર વેરાવળ)એ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી દીપક દેવજી હિરાણી, મનીષ નટવરલાલ વિઠ્ઠલાપરા, દિલીપ ઉર્ફે દિલ્પેશ પ્રવિણ ગોહિલ અને દિલીપ ગીરધર વરસડા અને હાર્દિક શીશાંગીયાની ધરપકડ કરી હતી. હાલ આ આરોપીઓ જામીન પર છૂટેલા છે. જો કે મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ જગદીશભાઈ છાત્રોલાએ પોલીસ ધરપકડની દહેસતે રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે સરકારી વકીલ એસ. કે. વોરાએ દલીલો કરી હતી કે, સમૂહ લગ્નના તમામ ફંડની રકમ ચંદ્રેશ પાસે છે. જેથી પોલીસ કસ્ટડી થકી તપાસ થવી જરૂરી છે. આગોતરા જામીન નહી આપવા દલીલ કરી હતી. બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે થયેલી દલીલો અને ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે ચંદ્રેશ છાત્રોલાની આગોતરા જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા અને ફરિયાદી પક્ષે યુવા એડવોકેટ રિપન એમ. ગેવરીયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech