પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યુ ત્યારથી સરકાર અને મહાનગરપાલિકાના અધિકારીઓની અણધડ નીતિના કારણે બાંધકામ ઉદ્યોગ મરણપથારીએ પહોંચી ગયો છે તેથી બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોથી માંડીને જમીન-મકાનની લે-વેચ કરનારા લોકોએ ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને બ મળીને આ મુદ્ે રજૂઆત કરી હતી.પોરબંદરમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યુ છે ત્યારથી લોકોની સમસ્યાઓ ઘટવાને બદલે વધી છે. હાલમાં પોરબંદરનો ડેવલપમેન્ટપ્લાન મંજૂર થયો છે તેમાં બાંધકામની પરવાનગી આપી શકાય છે. મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે તેવા બાકીના વિસ્તારોનો પ્લાન નવેસરથી બનાવવામાં આવે તો જ પરવાનગી શકય છે તેથી છાયા, બોખીરા, ખાપટ, ધરમપુર વગેરેમાં બાંધકામ માટેની પરવાનગી મળતી નથી. નવુ ટાઉનપ્લાનીંગ રચાય નહી ત્યાં સુધી જૂના માળખા પ્રમાણે પરવાનગી આપવી જોઇએ પરંતુ પોરબંદર મહાનગરપાલિકાના સરકારીબાબુઓનું પૂરેપૂરુ સરકારીકરણ થયુ હોય તેમ તેઓ આ વાત સ્વીકારવા તૈયાર નથી તેમ જણાવી બિલ્ડરોએ અને બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓએ વધુમાં ઉમેર્યુ હતુ કે દ્વારકામાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ અને એકાદ વર્ષ સુધી બાંધકામ ઠપ્પ થયા હતા. પરંતુ તે અંગેની રજૂઆત થતા નેતાઓની દરમિયાનગીરીથી જુનુ માળખુ ચાલુ રાખવામાં આવ્યુ હતુ. પોરબંદરમાં હજુ નવુ ટાઉનપ્લાનીંગ રચાય ત્યાં સુધીમાં દોઢથી બે વર્ષનો સમય વીતી જાય તેમ છે. આટલા સમય સુધી જો બાંધકામની જ પરવાનગી મળે નહી તો લોકો શું કરે? તેવા સવાલ સાથે ઉમેર્યુ હતુ કે માત્ર તંત્રના અધિકારીઓની અણઆવડતને કારણે બાંધકામ ઉદ્યોગ મરણપથારીએ પહોંચી ગયો છે.
અર્જુન મોઢવાડીયાને જણાવાયુ હતુ કે કડિયાકામ કરનારાઓ, કલરકામ કરનારાઓ, ઇલેકટ્રીશીયન, પ્લમ્બરથી માંડીને મજૂરો, સિમેન્ટ, લોખંડ સહિત બિલ્ડીંગ મટીરીયલના ધંધાર્થીઓના પણ વેપારધંધા પડી ભાંગ્યા છે. કારીગરોથી માંડીને બિલ્ડરોને પણ ખૂબ મોટી પરેશાની વેઠવી પડી રહી છે તેથી મહાનગરપાલિકાના સત્તાધીશોએ આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇને લોકોના પ્રશ્ર્નનો નિવેડો લાવવો જોઇએ તેવી અપીલ કરી હતી. ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ પણ યોગ્ય કરવાની ખાત્રી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech