પહેલગામ હુમલા બાદ ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન વધુ ઝડપી બનાવી દીધું છે. એનઆઈએએ જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે મળીને હુમલાની તપાસ પણ શરૂ કરી દીધી છે. પહેલગામ હુમલામાં આતંકવાદી આસિફ શેખ અને આદિલ ગુરીના નામ પણ સામે આવ્યા હતા. પોલીસ આસિફ અને આદિલના ઘરે સર્ચ ઓપરેશન કરવા ગઈ હતી. બાદમાં આઇઇડી બોમ્બથી બન્નેના ઘરને ઉડાવી દેવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે તેના ઘરમાં શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી હતી.
પહેલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શનમાં છે. પોલીસ પણ તેને ટેકો આપી રહી છે. સુરક્ષા દળના જવાનો આદિલ અને આસિફ શેખના ઘરે સર્ચ ઓપરેશન માટે ગયા હતા. આ દરમિયાન શંકાસ્પદ વસ્તુઓ જોઈને ભયનો અહેસાસ થયો હતો. આ જોઈને સુરક્ષા દળના જવાનો તુરંત જ પાછળ હટી ગયા અને પછી એક મોટો વિસ્ફોટ થયો. આમાં ઘરને ભારે નુકસાન થયું હતું. પોલીસનું કહેવું છે કે ઘરમાં વિસ્ફોટક સામગ્રી હતી. આ જ કારણ છે કે વિસ્ફોટ થયો.
આદિલ લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી છે. તેમને આદિલ ગુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આદિલ બિજબેહરાનો રહેવાસી છે. તેમનું ઘર વિસ્ફોટમાં ઉડી ગયું. પહેલગામ હુમલામાં આદિલનું નામ પણ સામે આવ્યું હતું. તે 2018માં કાયદેસર રીતે પાકિસ્તાન ગયો હતો. તેણે કથિત રીતે પાકિસ્તાનમાં આતંકવાદી તાલીમ લીધી હતી. તે ગયા વર્ષે જ જમ્મુ અને કાશ્મીર પાછો ફર્યો હતો.
પહેલગામ હુમલાના કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, કેટલાક આતંકવાદીઓ પશ્તુન ભાષામાં એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના હતા. જોકે, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટએ પણ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. તેમણે કહ્યું કે, ટીઆરએફએ લશ્કર-એ-તૈયબાનું એક ફ્રન્ટ ટેરર ગ્રુપ છે, જેનો ઉપયોગ હુમલાને એક સ્વદેશી જૂથના કાર્ય તરીકે દર્શાવવા માટે કરવામાં આવ્યો હતો.
એવું પણ માનવામાં આવે છે કે આતંકવાદીઓ ઘણા સમય પહેલા જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરી ચૂક્યા હતા અને તેમની યોજના 19 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કટરા મુલાકાત દરમિયાન હુમલો કરવાની હતી, જેને તેમણે પાછળથી કોઈ કારણોસર રદ કરી દીધી હતી. સૂત્રોએ એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે આ હુમલો કોઈપણ ગુપ્તચર એજન્સીના અધિકારીઓના જૂથને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ઇન્ટેલિજન્સ બ્યુરોનો એક કર્મચારી (મનીષ રંજન, જે બિહારનો રહેવાસી છે અને હૈદરાબાદમાં પોસ્ટેડ છે) તેના પરિવાર સાથે રજાઓ ગાળવા આવ્યો હતો અને માર્યા ગયેલા લોકોમાં તેનો પણ સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech