રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરના ગોંડલ રોડ ઉપર પીડીએમ કોલેજ પાછળના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી ગોકુલધામ આવાસ યોજના ના આવાસોનું પિયા સાડા પાંચ કરોડના ખર્ચે રીનોવેશન કરવા નિર્ણય લેવામાં આવ્યો છે, અને આજે તે અંગેનું ટેન્ડર પણ પ્રસિધ્ધ કરી નાખ્યું છે. આગામી ચોમાસા પૂર્વે આ આવાસ યોજનાના તમામ આવાસોનું રીપેરીંગ પૂર્ણ થઈ જશે.
ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ મહાનગરપાલિકાએ ટાઉન પ્લાનીંગ વિભાગની કામગીરી વધુ પારદર્શક બનાવી છે અને સાથો સાથ ભયજનક મકાનો તેમજ સરકારી કચેરીઓ અને આવાસોનું રિપેરીંગ કામ પણ હાથ ઉપર લીધું છે જે અંતર્ગત વર્ષેા પહેલા કૃષ્ણનગર મેઈન રોડ ઉપર વોર્ડ નં.૧૩માં બનેલ બીએસયુપી–૩ હાઉસીંગ સ્કીમના ૬૦૦થી વધુ ત્રણ માળિયા આવાસ યોજના ખખડધજ હાલતમાં હોય ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવી ભીતી હોવાથી સરકારની સુચના મુજબ મહાપાલિકા હવે તમામ આવાસોનું રિનોવેશન કરશે જેના માટે ા.૫.૫૧ કરોડનું મેન્ટેનન્સ માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં વર્ષેા પહેલા બનાવવામાં આવેલ હાઉસીંગ બોર્ડના આવાસો જર્જરીત હાલતમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ હાઉસીંગ બોર્ડના આવાસોનું રિપેરીંગ કરવા માટે હાલ કચેરી કાર્યરત ન હોવાથી હાઉસીંગ બોર્ડમાં રહેતા પરિવારોમાં ચીંતા વ્યાપી ગઈ છે. અગાઉ ફકત ત્રણ માળના બનાવવામાં આવેલા બીમ કોલમ વગરના આવાસો ખખડધજ હાલતમાં હોય ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતી રહેતી હોય છે. જેથી મહાનગરપાલિકાએ હવે શહેરની મધ્યમાં આવેલા હાઉસીંગ બોર્ડના આવાસો રિપેર કરવા માટે તૈયારીઓ આરંભી છે. જે અંતર્ગત વોર્ડ નં.૧૩માં કૃષ્ણનગર મેઈન રોડ ઉપર વર્ષેા પહેલા બનાવવામાં આવેલ બીએસયુપી–૩ હાઉસીંગ સ્કીમ ટીપીએસ નં.૨૪ ફાઈનલ પ્લોટ નં.૧૭ એ પાર્ટ અને ૧૭ બી પ્રકારના આવાસો જર્જરીત હાલતમાં હોય તેનું મેન્ટેનન્સ કરવાનો નિર્ણય લઈ ા.૫.૫૧ કરોડનું એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અગાઉ આ આવાસ યોજનાનું પીપીપી ધોરણે નવીની કરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમ જાણવા મળે છે પરંતુ હવે ચોમાસા પહેલા આ આવાસ યોજનાનું મેન્ટેનન્સ કામ ફરજિયાત કરવું પડે તેમ હોય બાંધકામ વિભાગ દ્રારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેથી ચોમાસા પહેલા તમામ આવાસોનું હાઉસીંગ બોર્ડના બાંધકામના નિયમ મુજબ રિપેરીંગ કામ કરવામાં આવશે. તેમજ જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech