જામનગર નજીક દરેડમાં સરદાર નગર સોસાયટીમાં રહેતા એક ભરવાડ યુવાનને તેની ગાયએ વાડામાં ઢીક મારી દેતાં ગંભીર ઇજા થયા પછી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડમાં સરદાર નગર સોસાયટીમાં રહેતા રામાભાઇ લાખાભાઈ હુણ નામના ૩૫ વર્ષના ભરવાડ યુવાનને ગત ૨૮મી તારીખે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં પોતાના વાડામાં પોતાની એક ગાય એ ઢીંક મારી દેતાં ઇજા થઈ હતી, અને બેભાન બન્યા પછી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જયાં ગઈકાલે સાંજે તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પરિવારના પાંચાભાઇ રામાભાઇ ભરવાડએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના એએસઆઈ પી.બી. ગોજીયાએ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech