છેલ્લા ચારેક દિવસ પહેલા સાવરકુંડલા થી અમરેલી જે નેશનલ હાઈવે નં. ૩૫૧ છે તેમાં બળીયા હનુમાન મંદિરથી ચરખડિયા તરફ ફક્ત એક જ કિલોમીટરમાં માત્ર ૨૦૦ મીટરના અંતરે એક સાથે ચાર ચાર સ્પીડ બ્રેકર્સ ઉભા કરવામાં આવ્યો છે. કોઈપણ સાઈન બોર્ડ કે કોઈપણ ધારાધોરણ વગરના રાતોરાત ખડકી દેવાયેલા આ સ્પીડ બ્રેકર્સ થી રોજીંદી મુસાફરી કરતા બાઈક સવારો ધડાધડ પટકાય છે. ગઈકાલે અમરેલીના નાના ભંડારિયા ગામે રહેતા છગનભાઇ પુનાભાઇ માધડ અને પત્ની દયાબેનને બાઇકમાં બેસાડી જઇ રહ્યા હતાં ત્યારે હાઇવે પરના સ્પીડ બ્રેકર ઉ૫ર દંપતી ઉછળતા રસ્તામાં દૂર સુધી પટકાયા હતાં. જેમાં બન્નેને ઇજા થઇ હતી. બે દિવસ પહેલા પણ એક માલ ભરેલ ટ્રેક્ટર ટોલી સાથે અહીં પલટી ખાઈ ગયું હતું. અહીંથી પસાર થતાં મુસાફરોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે,
અમરેલી સાવરકુંડલા બાયપાસ જંકશન ઉપર સ્પીડબેકર્સની જરૂરિયાત છે ત્યાં છે જ નહીં અને જ્યાં જર નથી ત્યાં સ્પીડ બ્રેકર રાતો રાત બનાવી નાખવામાં આવ્યા છે જેના કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
આ બાબતે જિલ્લા કલેકટર અમરેલી, જિલ્લા રાષ્ટ્રીય ધોરી માર્ગ કચેરી અમરેલી અને કાર્યપાલક ઇજનેર કચેરી નેશનલ હાઇવે ઓથોરિટી રાજકોટને લેખિત પત્ર દ્વારા પણ જાણ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech