ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા દ્વારકામા જન્માષ્ટમી મહોત્સવને ધ્યાને રાખી તા. ૨૫ થી ૨૭ ઓગષ્ટ સુધી વધારાની બસ ચલાવવામાં આવનાર છે.
સમગ્ર ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી વિશાળ સંખ્યામાં યાત્રિકો (મુસાફરો) જન્માષ્ટમીનાં તહેવારમા દ્વારકા આવતા હોય છે. જેને ધ્યાને લઈને તા.૨૫/૦૮/૨૦૨૪ થી તા. ૨૭/૦૮/૨૦૨૪ દરમ્યાન મુસાફરોને આવવા-જવા માટે જામનગર એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૨૫/૦૮/૨૦૨૪ થી ૨૭/૦૮/૨૦૨૪ સુધી ડેપો ખાતે થી મુસાફરોને એક્સ્ટ્રા બસો માં એડવાન્સ બુકિંગ કરાવી શકશે તેમજ એક જ ગ્રુપના ૫૧ (એકાવન) થી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો એક્સ્ટ્રા બસ ની સુવિધા એસ.ટી નિગમ દ્વારા આપવામાં આવશે. જેથી દ્વારકા નાં જન્માષ્ટમી મહોત્સવ દરમ્યાન મુસાફરો એસ.ટી બસો નો વધુ માં વધુ લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
જે વધારાનાં રૂટ ઉપર બસો દોડાવવામાં આવનાર છે તેમાં, દ્વારકાથી હર્ષદ (ભાડુ રૂ.૧૨૦ ), દ્વારકા-જામનગર (૧૮૪), દ્વારકા-રાજકોટ (રૂ. ૨૪૯), દ્વારકા-પોરબંદર (૧૫૬), દ્વારકા-સોમનાથ (રૂ.૨૬૧), દ્વારકા-જુનાગઢ (રૂ. ૨૨૭) નો સમાવેશ થાય છે.તેમ વિભાગીય નિયામક , એસ. ટી. જામનગર ની યાદી માં જણાવાયુ છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech