લ વાયરલ થઈ રહ્યું છે જે ઇઝરાયેલના હવાઈ હત્પમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાહના ટોચના નેતા હસન નસરાલ્લાહનું સત્તાવાર 'વિલ' હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, હત્પં તમને બધાને આ વિશ્વની ભલાઈ માટે ઇમામ ખામેનેઇના નેતૃત્વમાં વિશ્વાસ જાળવી રાખવા માટે આગ્રહ કં છું, ભગવાન તેમની રક્ષા કરે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ દસ્તાવેજને લઈને ઘણા લોકો કહે છે કે ઈરાનના આયાતુલ્લા (સર્વેાચ્ચ નેતા)માં તેમની શ્રદ્ધા વ્યકત કરવી એ શિયા મુસ્લિમોના રિવાજનો એક ભાગ છે.
સોશિયલ મીડિયા પર એક વિ
પરંતુ ઘણા લોકો ઇન્ટરનેટ પર વાયરલ થયેલા આ દસ્તાવેજને નકલી ગણાવીને નકારી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, લેબનોન અને હિઝબુલ્લાહમાં માનતા શિયાઓનું માનવું છે કે, નસરલ્લાહનો ઈરાન દ્રારા ઉપયોગ કરવામાં આવ્યો હતો અને યારે તેમને મદદની જર હોય ત્યારે પોતાને બચાવવા માટે છોડી દેવામાં આવ્યા હતા. આ દસ્તાવેજ, જેને નસરલ્લાહની ઇચ્છા તરીકે વર્ણવવામાં આવી રહી છે, કદાચ શિયાઓના અભિપ્રાયને પ્રભાવિત કરવા માટે જાણીજોઈને ઈન્ટરનેટ પર વાયરલ કરવામાં આવ્યો હશે.
પોતાના છેલ્લા ભાષણમાં હસન નસરલ્લાહે કથિત રીતે કહ્યું હતું કે, 'હત્પં કદાચ તમારી વચ્ચે વધુ સમય નહીં રહી શકું. પરંતુ અમે તૈયાર છીએ. ભલે આપણે બધા શહીદ થઈ જઈએ, ભલે આપણા માથા પર છત ન હોય, આપણે દુશ્મનો સામે પ્રતિકાર અને સંઘર્ષનો વિકલ્પ કયારેય છોડીશું નહીં. નસરલ્લાહના આ શબ્દો દર્શાવે છે કે, હિઝબુલ્લાહ ઈઝરાયેલની કાર્યવાહીનો સામનો કરવા તૈયાર હતો. હિઝબુલ્લાએ તેના ટોચના નેતાના મૃત્યુને પેલેસ્ટાઈન મુદ્દા માટે ચૂકવવામાં આવેલી સૌથી મોટી કિંમત ગણાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech