સમગ્ર વિશ્વ આજે એટલે કે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન મોદી હાલ શ્રીનગરમાં છે. યોગ દિવસ નિમિત્તે તેમણે દેશ અને દુનિયાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ પ્રથમ કાશ્મીર મુલાકાત છે. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે યોગ કયર્િ હતા. આ દરમિયાન તેમણે વજ્રાસનથી લઈને બાલાસન, ભુજંગાસન, શલભાસન અને ઉત્તાનપદાસન સુધી અનેક યોગ કયર્િ હતા
યોગાભ્યાસ કયર્િ બાદ તેઓ અહીં લોકોને મળ્યા હતા. તેણે લોકો સાથે સેલ્ફી પણ ક્લિક કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ શ્રીનગરમાં યુવા સશક્તિકરણ, જમ્મુ-કાશ્મીરમાં પરિવર્તન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરને લગભગ 3300 કરોડ રૂપિયાની ભેટ આપી હતી.
પીએમ મોદીએ તેના સંબોધનમાં કહ્યું કે વિશ્વ નવી યોગ અર્થવ્યવસ્થાને વધતી જોઈ રહ્યું છે. આ વર્ષે ફ્રાન્સના 101 વર્ષની મહિલા યોગ શિક્ષકને ભારતમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં. તે ક્યારેય ભારત આવ્યા ન હતા પરંતુ તેમણે પોતાનું આખું જીવન યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત કર્યું હતું. આજે દેશ અને દુનિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં યોગ પર સંશોધન થઈ રહ્યું છે. યોગ પર સંશોધન પત્રો પ્રકાશિત થઈ રહ્યા છે.
10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર યોગ અને ધ્યાનની ભૂમિ છે. તેનાથી ઉત્પાદકતા અને સહનશક્તિ વધે છે. યોગ દ્વારા નવી તકો ઊભી થઈ છે. યોગ એ માત્ર શિક્ષણ નથી પણ એક વિજ્ઞાન છે. યોગથી એકાગ્રતા વધે છે. હવે યોગ પર સંશોધન થઈ રહ્યું છે.
આજે એટલે કે 21મી જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત છે. દર વર્ષની જેમ આજે પણ ભારત સહિત વિશ્વના ઘણા દેશો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. યોગ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે પીએમ મોદીથી લઈને ઘણા મંત્રીઓ સુધી બધા યોગ દિવસનો ભાગ બની રહ્યાં છે.
ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે યોગ દિવસની ઉજવણીની પહેલ ભારતમાંથી જ કરવામાં આવી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને 177 દેશોનું સમર્થન મળ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડત્રા પોલીસ મથક હરીયાળુ બનશે, પટાંગણમાં 50 વૃક્ષોનું આરોપણ
June 09, 2025 09:47 AMકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech