રાજકોટ મહાપાલિકાના ઇસ્ટ ઝોન હેઠળના મેયર નયનાબેન પેઢડિયાના વોર્ડ નં.૪માં કુવાડવા રોડ ઉપર ગ્રીન લેન્ડ ચોકડી નજીક આવેલ તિપતિ નગરમાં રસ્તા ઉપરના ખાડા પ્રશ્ને તેમજ રસ્તાકામ અધું મુકવા સહિતના પ્રશ્નોને લઇને લતાવાસીઓ આક્રમક બન્યા હતા અને ચક્કાજામ સર્જી દીધો હતો. દરમિયાન કોર્પેારેટરો સ્થળ ઉપર આવીને રજુઆત સાંભળે તેવી માંગ કરતા ભગવતીપરામાં જઇ રહેલા મેયર રજુઆત સાંભળવા માટે ઉભા રહેતા મેયરની કારને રોષે ભરાયેલા લતાવાસીઓએ ઘેરાવ કર્યો હતો.
ભાજપના અન્ય કોર્પેારેટર પરેશ પીપળીયા હાય હાય તેવા સૂત્રોચ્ચાર કર્યા
વિશેષમાં અંગે જાણવા મળતી વિગતો મુજબ થોડા દિવસો પહેલા અહીં પીજીવીસીએલ તત્રં દ્રારા અંડરગ્રાઉન્ડ કેબલિંગ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રસ્તો જેમનો તેમ છોડી દેવામાં આવ્યો હતો અને મહાનગરપાલિકા દ્રારા ત્યાં આગળ રસ્તાના રીપેરીંગ નું કામ કરવામાં આવે તે પૂર્વે જ રસ્તામાં મોટો ખાડો પડી ગયો હતો અને ગઈકાલે એક બાઈક સવાર તેમાં ખાબકતા ઈજાગ્રસ્ત બન્યા હતા જેના પગલે આજે સવારે લેતાવાસીઓ વિફર્યા હતા.
સવારે લતાવાસીઓએ કામ અટકાવ્યું હતું
મહાપાલિકાની ટીમ અહીં રસ્તા કામ માટે પહોંચી હતી ત્યારે સવારે લતાવાસીઓએ કામ અટકાવ્યું હતું અને ચક્કાજામ સર્જી દીધો હતો તેમ જ વોર્ડના કોર્પેારેટર એવા મેયર સહિતના કોર્પેારેટરો સ્થળ ઉપર આવીને રજૂઆત સાંભળે તેવી જીદ પકડી હતી. દરમિયાન ભગવતી પરામાં ખાતમુહર્ત પ્રસંગે જઈ રહેલા મેયર ત્યાં જવાને બદલે ઉપરોકત સ્થળે ગ્રીનલેન્ડ ચોકડી પાસેની તિપતિ નગર સોસાયટીમાં દોડી ગયા હતા. રોસે ભરાયેલા ટોળાએ મેયરની કારને ઘેરાવ કરી લીધો હતો તેમજ વોર્ડ નં.૪ના ભાજપના અન્ય કોર્પેારેટર પરેશ પીપળીયા હાય હાય તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
દરરોજ ટ્રાફિક પોલીસના દંડનો ભોગ બનવું પડે છે
ત્યારે આ અંગે મેયર નયનાબેન પેઢડીયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે રસ્તાનો પ્રશ્ન છે તે વાત સાચી અને કોર્પેારેશન ત્યાં કામગીરી કરવા માટે પણ પહોંચ્યું હતું પરંતુ વિપક્ષ કોંગ્રેસના અમુક લોકોની ચઢામણીથી લતાવાસીઓ વિફર્યા હતા અને ચક્કાજામ સજીર્ને મેયરની કારને ઘેરાવ કર્યેા હતો. બીજી બાજુ લતાવાસીઓએ જણાવ્યું હતું કે ખરાબ રસ્તાના કારણે રોંગ સાઈડમાં ચાલીને તિપતિ નગરમાં જવું પડે છે અને તેવા કારણોસર દરરોજ ટ્રાફિક પોલીસના દંડનો ભોગ બનવું પડે છે.
કોર્પેારેશન તત્રં દ્રારા આ માટે કોઈ કાર્યવાહી કરાતી નથી
હાઇવે ઉપરથી સોસાયટીમાં જવા માટે ડિવાઇડર નો ગેપ ખોલવા માટે પણ માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીએ કોર્પેારેશન તત્રં દ્રારા આ માટે કોઈ કાર્યવાહી કરાતી નથી. ત્યારે આજુબાજુની સોસાયટીના રસ્તા ઉપરથી પસાર થઈને જઈ શકાય તેમ છે પરંતુ હરસિધ્ધિ પાર્ક તેમજ ગાયત્રી પાર્ક સહિતની સોસાયટીના રહીશોએ પોતાની સોસાયટી નાકે એંગલ ખોડી દીધા છે જેથી વાહન ત્યાંથી પસાર થઈ શકતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ એરપોર્ટ બંધ થવાથી મુસાફરો પરેશાન, રેલવેએ આ બે શહેરો માટે ખાસ ટ્રેનો શરૂ કરી
June 12, 2025 09:52 PMઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech