મુકેશ અંબાણી પોતાની ખાનપાનની આદતમાં ખૂબ જ શિસ્તબદ્ધ છે. મુકેશ અંબાણી ઘરમાં બનાવેલું હેલ્ધી ફૂડ ખાય છે અને અઠવાડિયામાં માત્ર એક જ વાર બહારનું ખાય છે. થોડા સમય પહેલા નીતા અંબાણીએ કહ્યું હતું કે મુકેશ અંબાણીને ચોખાના લોટમાંથી બનેલો ગુજરાતી નાસ્તો પાનકી પસંદ છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમની સાદગી માટે જાણીતા છે. એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાં ગણના હોવા છતાં, તેમની જીવનશૈલી અને ખોરાક એકદમ દેશી અને સાદું છે. મુકેશ અંબાણી ગુજરાતના રહેવાસી છે અને તેમને ગુજરાતી વાનગી ખૂબ જ પસંદ છે. થોડા સમય પહેલા મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી વારાણસી હતા. ત્યાં તેમણે વારાણસીની ફેમસ ચાટની મજા માણી હતી. એટલું જ નહીં, તેણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી અને વાતચીતમાં તેના પતિ મુકેશ અંબાણી અને પરિવારના અન્ય સભ્યોના મનપસંદ નાસ્તા વિષે જણાવ્યું હતું .
તેણે કહ્યું હતું કે તેના પતિ મુકેશ અંબાણી તેના આહારમાં ખૂબ જ કડક છે. મુકેશ અંબાણી ઘરમાં બનાવેલો હેલ્ધી ફૂડ ખાય છે અને અઠવાડિયામાં માત્ર એક જ વાર બહારનું ખાય છે. નીતા અંબાણીએ જણાવ્યું કે મુકેશ અંબાણી ચોખાના લોટમાંથી બનેલો ગુજરાતી નાસ્તો પાનકી પસંદ છે.
મેથીના પાન અને હળદર પણ પાનકીમાં ઉમેરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ નાસ્તો કેળાના પાંદડામાં બનાવવામાં આવે છે જેના કારણે તેમાં એક પ્રકારની કુદરતી સુગંધ આવે છે. પાનકીને ચટણી અને અથાણાં સાથે પીરસવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech