તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં પશુઓની ચરબી અને માછલીના તેલની ભેળસેળનો મામલો વધી રહ્યો છે, ત્યાં હવે આ અંગે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ચાલી રહેલા વિવાદ વચ્ચે મંદિરને શુદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મંદિરમાં શુદ્ધિકરણ માટે ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. મંદિરને પંચદ્રવ્યથી શુદ્ધ કરવામાં આવ્યું હતું. આ વિધિ તિરુપતિ દેવસ્થાનમે પ્રાયશ્ચિત માટે શરૂ કરી હતી. ધાર્મિક વિધિનો હેતુ ભૂલને સુધારવા અને મંદિરની પવિત્રતા જાળવવાનો છે.
અનુષ્ઠાન માટે મહાશાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરુપતિ મંદિરમાં શુદ્ધિકરણ વિધિમાં સમગ્ર સ્થળને પંચદ્રવ્ય એટલે કે પાંચ પવિત્ર વસ્તુઓથી શુદ્ધ કરવામાં આવ્યું હતું. પંચદ્રવ્યમાં ગાયનું દૂધ, દહીં, ઘી, મૂત્ર અને છાણનો સમાવેશ થાય છે. આ પછી લાડુ પોટ્ટુ એટલે કે લાડુ બનાવવાના રસોડા અને અન્નપ્રસાદમ પોટ્ટુ એટલે કે પ્રસાદ બનાવવાના રસોડામાં શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું.
8 પૂજારી, 3 આગમ સલાહકારો
શુદ્ધિકરણ દરમિયાન 11 ખાસ લોકો હાજર રહ્યા હતા. 8 પૂજારીઓ અને 3 આગમ સલાહકારો પંચામૃત સાથે સમગ્ર તિરુમાલા મંદિર પરિસરને શુદ્ધ કરવામાં સામેલ હતા. આ માટેનો ધાર્મિક સમય સવારે 6:00 વાગ્યે શરૂ થયો હતો અને સવારે 10 વાગ્યા સુધીમાં સમાપ્ત થયો હતો. આ માટે ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી. તિરુપતિ તિરુમાલા લાડુ વિવાદ બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
શું છે મામલો?
તાજેતરમાં તિરુપતિ મંદિરના પ્રસાદ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીની ચરબી અને માછલીના તેલની ભેળસેળનો મામલો સામે આવ્યો હતો, જેના કારણે મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી સહિત અનેક લોકોએ તેની સામે રોષ વ્યક્ત કર્યો હતો અને કાર્યવાહીની માંગ કરી હતી. આ મામલાને લઈને ખુદ આંધ્રપ્રદેશના CMએ નિવેદન જારી કરીને કહ્યું હતું કે કરોડો શ્રદ્ધાળુઓની ભાવનાઓ, પરંપરાઓ અને ધાર્મિક પ્રથાઓ સાથે રમત રમી શકાય નહીં. દોષિત કર્મચારીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech