રોકડ-આભૂષણ સહિત રૂ. 5.10 લાખના મુદ્દામાલની ચોરી
ખંભાળિયા તાલુકાના કોલવા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા નગાભાઈ રણમલભાઈ નંદાણીયા નામના 36 વર્ષના યુવાનના ઘરમાં ગત તા. 31 ઓગસ્ટના સવારે 10 વાગ્યાથી તા. 8 સપ્ટેમ્બરના સવારે 9 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ ડુપ્લીકેટ ચાવી વડે તાળું ખોલીને આ રહેણાંક મકાનમાં પ્રવેશ કર્યો હતો.
અહીં રૂમમાં રહેલા આળિયામાં રાખવામાં આવેલી બરણીમાં આશરે રૂપિયા પોણા બે લાખની કિંમતનું સાડા ત્રણ તોલાનું મંગલસૂત્ર, રૂ. 1,00,000 ની કિંમતનો બે તોલાનો પેંડલનો સેટ તેમજ રૂ. 15,000 ની કિંમતની ત્રણ ગ્રામ વજનની સોનાની વીંટી ઉપરાંત પતરાની પેટીમાં રાખવામાં આવેલા રૂપિયા 2,20,000 ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.
આ પ્રકરણમાં કુલ રૂપિયા પાંચ લાખ દસ હજારના મુદ્દામાલની ચોરી અજાણ્યા તસ્કરો કરી ગયા હોવાનું જાહેર થયું છે. આ ચોરીના બનાવ અંગે ખંભાળિયા પોલીસે નગાભાઈ નંદાણીયાની ફરિયાદ પરથી અજાણ્યા ચોર શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, અહીંના પી.એસ.આઈ. આર.જી. વસાવા તેમજ સ્ટાફ દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટે જ વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech