પોરબંદરના કર્લી જળાશયમાં ઝાડમાં ફસાયેલા બે સાપને જીવદયા પ્રેમી યુવાનોએ ઈજા થાય નહી તે રીતે મુક્ત કરાવ્યા હતા.
પોરબંદરમાં આવેલ કર્લી જળાશયમાં એક સાથે બે બિનઝેરી ચેકર્ડ કિલબેક પ્રજાતિના સાપ જાળમાં ફસાયા હતા,ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા રાણાભાઈની નજર આ સાપો ઉપર પડતા તેમનામાં રહેલી જીવદયા બતાવી અન્ય લોકોને જાણ કરી હતી.ત્યારબાદ ધ ગ્રીન વાઇલ્ડ લાઇફ ક્ધઝર્વેશન સોસાયટીના સભ્ય નાગાજણ મોઢવાડિયા. રિવરફ્રન્ટ સ્ટાફના ભરતસિંહ જેઠવા, ૧૦૮ વાનના ડો. મનુ સોસા તથા યક્ષય ચુડાસમા અને ૧૦૮ ઈમરજન્સી ના જિલ્લા અઘિકારી જયેશગીરી વગેરેએ સાથે મળીને બન્ને સાપોને કોઈપણ જાતની ઇજા વગર જાળમાંથી છોડાવીને ફરી તેના કુદરતી વાતાવરણમાં જ મુકત કરી તેમને નવું જીવન આપ્યું હતુ, રિવરફ્રન્ટનો સ્ટાફ તથા પોરબંદર ૧૦૮ ની આ ટીમ આવી રીતે અવાર-નવાર કર્લી જળાશયમાં જાળમાં ફસાયેલ સરીસૃપ જીવો તથા પશુ-પક્ષીના જીવ બચાવવામાં મદદગાર બને છે,ત્યારે આ યુવાનોની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech