સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ફેબ્રુઆરીના અંતમાં એક મોટી જાહેરાત કરી હતી. હવે રમઝાનના અંતમાં ૧,૨૯૫ કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે ૧,૫૧૮ કેદીઓને સજા માફ કરવાની જાહેરાત કરી છે. મુક્ત કરાયેલા લોકોમાં 500 થી વધુ ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
કેદીઓ માટે માફીની જાહેરાત ફેબ્રુઆરીના અંતમાં કરવામાં આવી હતી. વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે કુલ ૧,૫૧૮ કેદીઓને માફ કરવાની જાહેરાત કરી છે. જેલમાંથી મુક્ત થવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં 500 થી વધુ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. યુએઈના રાષ્ટ્રપતિ તરફથી માફી મળ્યા બાદ, મુક્ત થયેલા કેદીઓ તેમના પરિવાર સાથે ઈદની ઉજવણી કરી શકશે.
ઉલ્લેખનીય છે કે સંયુક્ત આરબ અમીરાતની કુલ વસ્તીમાં ભારતીયો 37.96 ટકા છે. ડિસેમ્બર 2024 માં, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં ભારતીયોની વસ્તી 35,68,848 (3.6 મિલિયન) હતી. તે વિશ્વમાં ભારતીયોની બીજા ક્રમની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ છે. યુએઈમાં રહેતા ભારતીયોએ દેશના દરેક ક્ષેત્રના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે.
રમઝાન મહિનો પૂરો થવાનો છે. સાઉદી અરેબિયામાં ઈદની રજાઓની જાહેરાત કરવામાં આવી છે. સાઉદી અરેબિયામાં, જાહેર ક્ષેત્રની રજાઓ 24 રોઝા (22 માર્ચથી શરૂ થાય છે) થી શરૂ થઈ ગઈ છે, કારણ કે ત્યાં 1446 હિજરી મુજબ ઉપવાસ એક દિવસ વહેલા શરૂ થાય છે. આ ઉપરાંત, ખાનગી ક્ષેત્ર અને બિન-લાભકારી ક્ષેત્ર માટે રજાઓ 29મી રોઝા (એટલે કે 27 માર્ચથી) થી શરૂ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech