ગોંડલ તાલુકાના જામવાડી ગામ ખાતે એક અનોખો પ્રસંગ જોવા મળ્યો હતો. ગામમાં ૩૦ વર્ષથી સરપંચ તરીકે સેવા આપતા અને રાજકોટ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી તથા ગોંડલ નાગરિક બેંકના એમડી તરીકેની જવાબદારી નિભાવતા પ્રફુલભાઈ ટોળીયાના સુપુત્ર ચિ. લેરીશ ના લગ્ન પ્રસંગે ગીર ગૌ સંવર્ધનના રમેશભાઈ રૂપારેલીયા દ્વારા ભેટ સોગાત તરીકે એક ગીર ઓલાદની છ માસની વાછરડી (ગાય) આપવામાં આવી છે. આ ઝડપથી વિકસતા સમયમાં નોંધનીય બાબત છે અને જો આ રીતે દરેક લગ્ન પ્રસંગ વખતે વર્ષો પહેલાની પ્રણાલીને જીવંત કરવાના આશયથી વાછરડીઓનું કે ગાય માતાનું દાન કરવામાં આવે તો જે આ દેશ એક સમયે દૂધ ઘીની નદીઓ વહેતી હતી તેવું કહેવામાં આવતું તે દિશામાં ગતિ કરે. પ્રફુલભાઈ ટોળીયા પોતે પણ ગીર ગાય નું નિયમિત જતન કરે છે અને રમેશભાઈ રૂપારેલીયા પણ તેઓ સાથે નજીકની મિત્રતા ધરાવે છે તે અંતર્ગત લેરીશ અને સ્નેહાના લગ્ન સમયે યોજાયેલ સત્કાર સમારંભમાં ગીર વાછરડીનું દાન કર્યું તે બદલ ટોળીયા પરિવાર પણ હર્ષની લાગણી ધરાવે છે તેવું પ્રફુલભાઇ ટોળીયાએ જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech