સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓએ ઘણી ઓછી સંખ્યામાં એડમિશન લીધા છે અને સંખ્યાબંધ બેઠકો ખાલી પડી છે. તેવા સમયે કુલપતિએ બીબીએ કરેલા વિદ્યાર્થી મઓને એમ. કોમ.માં શરતી પ્રવેશ આપવાનો નિર્ણય જાહેર કરતા ભારે હોબાળો બચી જવા પામ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ આવા વિદ્યાર્થીને ગુડ એકેડેમિક રિપોર્ટ રેકોર્ડ ગણાશે નહીં. ભવિષ્યમાં જ્યાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સળંગ ગણવાનું રહેતું હોય ત્યાં તેમનો નોકરી માટેનો હક પર રહેશે નહીં. વિદ્યાર્થી બી.એડ પાસ કરીને વિદ્યા સહાયક માટે ટેટ અને ટાટ ની પરીક્ષામાં પણ લાયક ગણી શકાશે નહીં તેવી શરતો મૂકી છે.
ડિગ્રી માત્ર કાગળ બની જાય તેવી પ્રકારની આ શરતો બાબતે યુનિવર્સિટીએ સલગ્ન વાણિજ્ય વિદ્યા શાખા હેઠળના અનુસ્નાતક અભ્યાસક્રમ ચલાવતી કોલેજના આચાર્યો અને યુનિવર્સિટી કેમ્પસ પર આવેલ અનુસ્નાતક ભવનના વડાઓને આ પરિપત્ર પાઠવી દીધો છે અને જણાવ્યું છે કે વાણિજ્યવિદ્યા શાખાના ડીન દ્વારા અધિકાર મંડળોની બહાલીની અપેક્ષાએ મંજૂરી આપવા માટે કુલપતિને ભલામણ કરેલ છે. જે કુલપતિએ મંજૂર કરેલ છે અને તેનો હવે ચુસ્ત અમલ કરવાનો રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ નિર્ણય સામે જાણીતા શિક્ષણ શાસ્ત્રી નિદત બારોટે આ સંદર્ભે કુલપતિને એક પરિપત્ર પાઠવીને જણાવ્યું છે કે જો વિદ્યાર્થીઓને ગુડ એકેડેમિક રેકોર્ડ નહીં ગણાય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રવેશ આપે, પરીક્ષા લે, વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ મેળવે અને છતાં ગુડ એકેડેમિક રેકોર્ડ ન ગણાય આવું આપણે કયા આધારે નક્કી કરીએ છીએ. ?
ભવિષ્યમાં જ્યા ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સળંગ ગણવાનું રહેતું હશે ત્યાં તેમનો નોકરી માટેનો હક નહીં રહે તે શરત બાબતે જણાવતા નિદત બારોટે કુલપતિને લખેલા પત્રમાં કહ્યું છે કે કયા ડિગ્રી ધારકને નોકરી આપવી અને કોને ન આપવી તે નોકરી આપનાર નક્કી કરે છે. આપણે આવી શરતો કેવી રીતે મૂકી શકીએ? .
બી.એડ પાસ કરીને વિદ્યા સહાયક માટેની ટેટ- ટાટ જેવી પરીક્ષામાં આવા વિદ્યાર્થીઓ લાયક નહીં ગણાય તે શરતને ગેર વ્યાજબી ગણાવતા આ પત્રમાં જણાવ્યું છે કે કોને આ પરીક્ષા માટે લાયક ગણવા તે શાળાઓના કમિશનર અને રાજ્ય સરકાર નક્કી કરે છે. આવી શરત મૂકીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓનું અહિત કરે છે.
આવી અગત્યની નીતિવિષયક બાબત રાજ્ય સરકારે એક્ટ અને સ્ટેચ્યુટથી વિવિધ સત્તા મંડળની રચના કરીને તેમને સત્તા આપી છે. આ નિર્ણય બોર્ડ ઓફ ડીન્સ, એકેડેમિક કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મૂકીને જરૂરી ચર્ચા વિચારણા કરીને તેની મંજૂરી મળે પછી જ અમલમાં મૂકી શકાય અને તેથી હાલ તુરત પરિપત્રનો અમલ સ્થગિત કરવા માગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech