પશ્ચિમ ત્રિપુરાના રાનીરબજાર વિસ્તારમાં એક મંદિરની મૂર્તિને નુકસાન થયા બાદ અજાણ્યા લોકોએ 12 મકાનો અને અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. સોમવારે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે તણાવ ઓછો કરવા માટે વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
સહાયક મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) અનંત દાસે જણાવ્યું હતું કે, રવિવારે મોડી રાત્રે કૈતુરબારીમાં દેવી કાલીની મૂર્તિ ખંડિત મળી આવ્યા બાદ આવારા તત્વોએ રાનીરબજારમાં લગભગ 12 ઘરોને આગ લગાવી દીધી હતી. કેટલીક મોટરસાઈકલ અને પીકઅપ પણ સળગી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગુસ્સે થયેલા ટોળાને જોઈને લોકો ઘર છોડીને ભાગી ગયા હતા. અનંત દાસે કહ્યું કે તણાવ ઓછો કરવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ ઈન્ટેલીજન્સ ઓફિસર અનુરાગ ધનખર અને પશ્ચિમ ત્રિપુરાના પોલીસ અધિક્ષક કિરણ કુમારે વિસ્તારની મુલાકાત લીધી છે.
તેમણે કહ્યું કે મિલકતોને થયેલા નુકસાનનું આકલન પૂર્ણ કર્યા પછી, પોલીસ સુઓ મોટુ સંજ્ઞાન લેશે અને કેસ નોંધશે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech