ધારીના દીતલા ગામની સીમમાં વાડીએ રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. જયારે બીજા બનાવમાં અમરેલીના બહારપરામાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળી એસિડ પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ એમપીના અને હાલ ધારીના દીતલા ગામની સીમમાં આવેલા નિલેષભાઈ હિરપરાની વાડીમાં ભાગિયું રાખી પતિ સાથે ખેત મજૂરી કામ કરતા હજરીબેન હરિયાભાઈ ઉર્ફે હરીભાઈ જેરામભાઈ કનેશ (ઉ.વ.૩૪) નામની પરિણીતાએ ગઈકાલે વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડી હતી પરંતુ ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે ચલાલા પોલીસને જાણ કરાતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પરિણીતાને પતિ સાથે ઝગડો થતા તેનું લાગી આવવાથી પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
બીજા બનાવમાં અમરેલીના બટારવાડી ખોડીયાર મંદિર વાળી શેરીમાં રહેતા રૂકસાના બેન અબ્દુલભાઇ સોલંકી (ઉ.વ.40)નામના મહિલાએ ગત સવારે એસિડ પી લેતા સારવાર માટે પ્રથમ અમરેલી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવારે મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે અમરેલી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી, મૃતકને ત્રણ- ચાર વર્ષ પહેલા ફિશરનું ઓપરેશન કરાવેલ તથા એકાદ વર્ષ પહેલા ભખંદરનું ઓપરેશન કરાવ્યું હતું આ બધી જ બિમારીનો દુઃખાવો સહન થતો ન હોવાથી કંટાળી પગલું ભરી લીધું હતું. બનાવથી પરિવારમાં માતમ છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech