પોરબંદરમાં વડલોપાર્જિત મકાનની ભાગ બટાઇ પ્રશ્ર્ને નાનાભાઇએ મોટાભાઇને છરી મારતા પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી જેમાં આરોપીને હાર્બર મરીન પોલીસે સ્મશાન પાસેથી પકડી પાડયો છે.
શનિવારે થઇ હતી ફરિયાદ
પોરબંદરના વોરાવાડમાં દેલવાડી મંદિર પાસે રહેતા વીરેન્દ્રભાઇ નાથાલાલ ખોખરી નામના ૫૨ વર્ષના આધેડે એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેનો નાનો ભાઇ જિજ્ઞેશ કે જેના દસ વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા હતા અને તે એકલો કીર્તિમંદિર પાછળ આવેલા વડીલોપાર્જિત જુના મકાનમાં રહે છે. વોરાવાડ ખાતે ભાડાના મકાનેથી વીરેન્દ્રભાઇ ખોખરી બંદરમાં કામ કરવા માટે નીકળ્યા ત્યારે ઇકુભાઇ શિયાળના પેટ્રોલપંપ પાસે તેનો નાનો ભાઇ જિજ્ઞેશ હાથમાં છરી લઇને આવી ગયો હતો અને વીરેન્દ્રભાઇને ‘તારે મકાનના એક લાખ પિયા આપવાના છે કે નહીં?’ તેમ કહેતા ફરિયાદીએ ના પાડી હતી તેથી જિજ્ઞેશ ઉશ્કેરાઇ ગયો હતો અને ડાબા પડખામાં છરીનો ઘા મારી હત્યાના ઇરાદે હુમલો કર્યો હતો. છરીના બે ઘા લાગતા વીરેન્દ્રભાઇ લોહીલુહાણ અને બેભાન થઇ ગયા હતા. અને ભાનમાં આવ્યા ત્યારે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલુ હતી આથી ત્યાંથી તેમણે વડીલોપાર્જિત મકાનના ભાગબટાઇ પ્રશ્ર્ને નાનાભાઇ સાથે ચાલતી તકરાર અનુસંધાને આ ખુની હુમલો થયાનું જણાવ્યુ હતુ. ભાઇએ -ભાઇ સામે હત્યાની કોશિશનો ગુન્હો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્મશાન પાસે કરી કાર્યવાહી
પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી.સાળુંકેના માર્ગદર્શન મુજબ પી.એસ.આઇ. પી.આર.રાઠોડ તથા ડી-સ્ટાફના માણસો સાથે આરોપીની વોચ તપાસના કામે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઇ કાનાભાઇ ઓડેદરાને હ્યુમન સોર્સીસથી માહિતી મળેલ હતી કે ઉપરોકત ગુન્હાના કામનો આરોપી જિજ્ઞેશ નાથાલાલ ખોખરી ચોપાટી પાસે સ્મશાન નજીક છુપાયેલ હોય જેથી ડી-સ્ટાફ દ્વારા તપાસ કરતા આરોપી જિજ્ઞેશ નાથાલાલ ખોખરી મળી આવતા મજુકર આરોપીને જેમા તેમ પકડી પાડી પૂછપરછ કરતા સદર ગુન્હાના કામે મજકુર આરોપી હોવાનું જણાવતા સદર ગુન્હાના કામે અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.ડી. સાળુંકે, પી.એસ.આઇ. પી.આર. રાઠોડ, એ.એસ.આઇ. બી.ડી.વાઘેલા, એ.એસ.આઇ. આર.એફ. ચૌધરી, એ.એસ.આઇ. કે.બી.લોઢારી, હેડકોન્સ્ટેબલ પી.એન. બંધિયા, પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઇ કાનાભાઇ ઓડેદરા, દિનેશભાઇ વિરમભાઇ બંધિયા, વિશાલસિંહ અભેસિંહ વાઢેળ વગેરે રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech