ભારતમાં અનેક કેસમાં વોન્ટેડ ડો.ઝાકિર નાઈક પાકિસ્તાન પહોંચી ગયો છે. તે 28 ઓક્ટોબર સુધી અહીં રહેશે. આ સમયગાળા દરમિયાન ઝાકિર નાઈક ઈસ્લામાબાદ, કરાચી અને લાહોરમાં ધાર્મિક જાહેરસભાઓને પણ સંબોધિત કરશે. પાકિસ્તાનના ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને ધાર્મિક બાબતોના મંત્રાલયના પ્રવક્તાને ટાંકીને કહ્યું કે, ઝાકિર નાઈક શુક્રવારની પ્રાર્થના સભાનું નેતૃત્વ પણ કરશે.
પાકિસ્તાનની શાહબાઝ સરકારે ઝાકિર નાઈકને આમંત્રણ આપ્યું હતું. આ જ કારણ છે કે, પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદ એરપોર્ટ પર ઝાકિર નાઈકનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન વડાપ્રધાનના યુવા કાર્યક્રમના અધ્યક્ષ રાણા મશહૂદ, ધાર્મિક બાબતોના સંસદીય સચિવ શમશેર અલી મઝારી, ધાર્મિક બાબતોના મંત્રાલયના અધિક સચિવ સૈયદ ડૉ. અત્તા-ઉર-રહેમાન એરપોર્ટ પર હાજર હતા.
ઝાકિર નાઈકનું શેડ્યુલ
ઝાકિર નાઈકની પહેલી રેલી 5 અને 6 ઓક્ટોબરે કરાચીમાં યોજાશે.
12 અને 13 ઓક્ટોબરે લાહોરમાં ધાર્મિક સભાને સંબોધિત કરશે.
છેલ્લે 19 અને 20 ઓક્ટોબરે ઈસ્લામાબાદમાં કાર્યક્રમમાં ભાગ લેશે.
ઝાકિર નાઈકને ભારતમાં ભાગેડુ જાહેર કરાયો
ઝાકિર નાઈક ભારતમાં મની લોન્ડરિંગ અને દ્વેષપૂર્ણ ભાષણો સહિત અનેક કેસમાં વોન્ટેડ છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં 2016માં થયેલા બોમ્બ વિસ્ફોટોનો એક આરોપી ઝાકિર નાઈકથી પ્રેરિત હતો. આ પછી, જ્યારે ભારત સરકારે તેની પકડ કડક કરી, તો ઝાકિર નાઈક તેના પરિવાર સાથે મલેશિયા ભાગી ગયો. ભારત સરકારે ઝાકિર નાઈકને ભાગેડુ જાહેર કર્યો છે. ભારત સરકાર ઝાકિર નાઈકના પ્રત્યાર્પણ માટે પણ પ્રયાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech