રામલલા અયોધ્યામાં પોતાના મહેલમાં સ્થાપિત થયા છે. તેની માત્ર દેશમાં જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ઉજવણી થઇ છે, મંદિરના નિર્માણથી હિન્દુ સમુદાય ખુશ જોવા મળી રહ્યો છે. ઉપરાંત ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ સોમવારે (22 જાન્યુઆરી) અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની ઉજવણી કરી હતી. તેમણે ભક્તો માટે મંદિર ખોલવા પર ખુશી વ્યક્ત કરી છે.
અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વિશ્વભરમાંથી 7000 મહેમાનો આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આજે એટલે કે મંગળવાર (23 જાન્યુઆરી)થી મંદિરના દરવાજા ભક્તો માટે ખુલી રહ્યા છે. લાખો લોકોની ભીડ અયોધ્યા પહોચી છે. આ માટે નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, અને રેલવે સ્ટેશનને પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે.
દાનિશ કનેરિયાએ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ X પર રામલલાનો વીડિયો પોસ્ટ કર્યો છે અને રામ મંદિરના અભિષેક પર તમામને શુભેચ્છા પાઠવી છે. આ વીડિયોના કેપ્શનમાં કનેરિયાએ લખ્યું, 'અભિનંદન! ભગવાન રામ આવ્યા છે. તેણે #JaiShreeRam હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં લોકો જય શ્રી રામના નારા લગાવતા જોઈ શકાય છે. કનેરિયા દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
દાનિશ કનેરિયા પાકિસ્તાનનો ભૂતપૂર્વ લેગ સ્પિનર છે. તે પાકિસ્તાની ટીમ તરફથી રમનાર પ્રથમ હિન્દુ ક્રિકેટર છે. તેણે વર્ષ 2000માં પાકિસ્તાન તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. કનેરિયાએ પાકિસ્તાન માટે 61 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 261 વિકેટ લીધી છે. ડેનિશે ODI ક્રિકેટમાં 18 વખત પાકિસ્તાની ટીમની જર્સી પહેરી હતી, જેમાં તેણે 15 વિકેટ લીધી હતી. કનેરિયાએ પોતાની કારકિર્દીમાં કુલ 276 વિકેટ લીધી છે.
તેને પાકિસ્તાનના સર્વશ્રેષ્ઠ લેગ સ્પિનરોમાંથી એક ગણવામાં આવે છે. જોકે, સ્પોટ ફિક્સિંગના આરોપ બાદ કનેરિયાની ક્રિકેટ કારકિર્દી ખતમ થઈ ગઈ હતી. દાનિશ કનેરિયા અવારનવાર રામ મંદિર વિશેના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech