કોરોના મહામારી દરમિયાન જીનોમ સિક્વન્સિંગ એટલે કે જિનેટિક ટેસ્ટિંગમાં ઝડપથી વધારો થયો છે, જેના કારણે તેમની કિંમત પણ ઘટી રહી છે. સામાન્ય માણસની પહોંચ વધવાનો આ એક સંકેત છે, પરંતુ તેના દુરુપયોગથી ડરતા વૈજ્ઞાનિકોએ સરકારને જલ્દી કડક નિયમો લાગુ કરવાની ભલામણ કરી છે. CSIR-IGIB, નવી દિલ્હીના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક કહે છે કે આગામી પાંચ વર્ષ જીનોમ સિક્વન્સિંગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપણે અત્યારે સક્રિય થવાની જરૂર છે.
અમેરિકા અને યુરોપ સહિત ઘણા દેશોમાં તેને નિયમોના દાયરામાં લાવવામાં આવ્યું છે, પરંતુ ભારતમાં તે હજુ પ્રારંભિક તબક્કામાં છે. તેમણે કહ્યું કે અમને જીનોમ સિક્વન્સિંગ માટે એક મજબૂત કાયદાની જરૂર છે જે ભેદભાવની સાથે વીમા કંપનીઓ દ્વારા તેના દુરુપયોગને પણ અટકાવે. સૌથી અગત્યનું છે કે આપણો જીનોમ ડેટા ગોપનીય અને સુરક્ષિત હોવો જોઈએ. તાજેતરમાં જ એક વિદેશી કંપનીએ પરવાનગી વિના આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભારતના 20 હજાર લોકોનો જીનોમ ડેટા રજૂ કર્યો હતો.
વૈજ્ઞાનિકો કહે છે કે એક રીતે, જીનોમિક ડેટાને રાષ્ટ્રીય સંપત્તિ તરીકે સુરક્ષિત રાખવો જોઈએ. જીનોમ ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ 10 હજાર ભારતીય જીનોમનું સિક્વન્સિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. આગામી તબક્કામાં 10 હજાર વધુ સિક્વન્સિંગ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech