બિહારના બેતિયામાં માનસા ટોલા ગુમતી નજીક ટ્રેનની અડફેટે ત્રણ કિશોરોના મૃત્યુ નિપજ્યાં હતા. આ દુર્ઘટના મુઝફ્ફરપુર-નરકટિયાગંજ પર બેતિયા અને મજોલિયા રેલવે સ્ટેશન વચ્ચે મનસા ટોલા ગુમતી નજીક સર્જાઈ હતી. રેલવે ટ્રેક પર બેસીને ત્રણ કિશોરો મોબાઈલ પર પબજી ગેમ રમી રહ્યા હતા.
અહેવાલો અનુસાર, રેલવે ટ્રેક પર બેસીને ત્રણેય મિત્રો પોતાના મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા અને ત્રણેયએ કાનમાં ઈયરફોન પહેર્યા હતા. દરમિયાન મુઝફ્ફરપુરથી નરકટિયાગંજ જતી મેમુ ટ્રેનની ટક્કરથી ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ બારી ટોલાના રહેવાસી તરીકે થઈ છે. ત્રણેય એક જ ગામના રહેવાસી હતા.
અકસ્માત બાદ આસપાસના લોકોએ મૃતકના સંબંધીઓને જાણ કરી હતી, ત્યારબાદ પરિવારજનોએ તેમના મૃતદેહને બહાર કાઢ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech