બાળસાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ જામનગરના શિક્ષક કિરીટ ગોસ્વામીની રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી
બાળ સાહિત્ય ક્ષેત્રે સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલ ૧૩ વિશિષ્ટ પ્રતિભાઓમાં કિરીટ ગોસ્વામીને સ્થાન મળ્યું
સાહિત્ય અકાદમી, દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ, બાળસાહિત્ય અકાદમી, અતુલ્ય ભારત, અંજુ-નરશી સહિતના અનેક સન્માનોથી કિરીટ ગોસ્વામી સન્માનિત થઈ ચુક્યા છે
તાજેતરમાં ' બાલવાટિકા' સામયિક ( રાજસ્થાન) દ્વારા રાષ્ટ્રીય કક્ષાના વિવિધ પુરસ્કાર જાહેર થયા.જે અંતર્ગત કિરીટ ગોસ્વામીને બાળસાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન બદલ 'ડૉ.અનંત ઓઝા સ્મૃતિ બાળસાહિત્ય પુરસ્કાર' એનાયત કરવાની જાહેરાત થઈ છે. ભારતભરનાં વિવિધ રાજ્યોમાંથી બાળસાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરતા હોય તેવા ૧૩ બાળસાહિત્યકારોની આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી.જેમાં ગુજરાતમાંથી કિરીટ ગોસ્વામીની પસંદગી થઇ છે.આ પુરસ્કાર આગામી ઑક્ટોબર માસમાં ભીલવાડા (રાજસ્થાન) ખાતે યોજાનાર રાષ્ટ્રીય બાળસાહિત્ય સંગોષ્ઠિ-૨૦૨૪ કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે
રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ મારી આ બાળ પ્રવૃતિની સકારાત્મક નોંધ લીધી છે. તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ પત્ર મારફત મારી આ કામગીરીને બિરદાવી તેનું મને સવિશેષ ગૌરવ છે.આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનાં પાઠ્યપુસ્તકોમાં મારા બાળગીતો સમાવિષ્ટ થયા છે.તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનાં ધોરણ નવનાં અપઠિત વિભાગમાં મારા કાવ્યોને સ્થાન મળ્યું છે.આ ઉપરાંત, પ્રથમ ઑપન સ્કૂલના રાષ્ટ્રીય સ્તરના અભ્યાસક્રમમાં પણ મારી રચનાઓ સ્થાન પામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech