રામનવમીના દિવસે લગભગ 4 મિનિટ સુધી સૂર્યના કિરણોએ રામલલાના કપાળ પર સુર્ય તિલક કર્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે આજે શ્રી રામ નવમીના શુભ અવસર પર શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામલલા સરકારનો દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો.
સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રામ નવમીના અવસર પર ભગવાન રામલલાના દર્શન કરવા માટે અયોધ્યાના રામ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. રામનવમીના અવસર પર અયોધ્યામાં રામ મંદિરની સાથે હનુમાનગઢી પણ મોટી સંખ્યામાં ભક્તોથી ઉભરાય છે. રામ નવમી પર અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અયોધ્યા રેન્જ આઈજી પ્રવીણ કુમારે કહ્યું, "વ્યવસ્થા પહેલાથી જ થઈ ગઈ છે. અમે વિસ્તારોને બે સેક્ટરમાં વહેંચી દીધા છે."
સવારે સાડા ત્રણ વાગ્યે દર્શન શરૂ થયા. ટ્વિટર પર તસવીરો શેર કરતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે લખ્યું, "આજે, શ્રી રામ નવમીના શુભ અવસર પર, શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામલલા સરકારનો દિવ્ય અભિષેક કરવામાં આવ્યો."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech