સમસ્ત મહેશ્વરી સમાજના પરમપૂજય ઈષ્ટદેવક્ષી લુણંગ ગણેશ દેવનું સ્થાનક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી મુકામે બરડા ડુંગરની તળેટીમાં ઐતિહાસિક તેમજ ભરપુર સૌદર્ય ધરાવતું સ્થળ આવેલ છે જ્યાં સોન કંસારીની પૌરાણિક જગ્યા તેમજ ડુંગરની ટોચે માઁ આશાપુરાનું મંદિર પણ આવેલ છે.
આ પવિત્ર જગ્યામાં દર વર્ષે મહેશ્વરી સંપ્રદાયના જાત્રાળુઓ પવિત્ર ધામોની જાત્રા કરી વૈશાખ સુદ - ૪ ના રોજ શ્રી ઘુમલી મુકામે શ્રી લુણંગ ગણેશ દેવની જગ્યામાં પવિત્ર જાત્રા કરવા આવે છે. આ પવિત્ર જાત્રામાં કચ્છ, રાજકોટ, જામનગર, મુંબઈ તેમજ જુદી જુદી જગ્યાએથી આશરે ૨૦૦૦ થી ૨૫૦૦ જેવી બહોળી સંખ્યામાં જાત્રાળુઓ પવિત્ર જાત્રા કરવા માટે ઘુમલી મુકામે આવી રાત્રી રોકાણ કરે છે.
આ વર્ષે ‘અતિથિ દેવો ભવ’, ‘અન્ન ભેગા તેના મન ભેગા’ ની ઉક્ત સાર્થક કરવાના પવિત્ર હેતુથી વૈશાખ સુદ - ૪, શનિવાર, તા.૧૧/૦૫/૨૦૨૪ ના રોજ આવનાર જાત્રાળુઓ માટે ‘શ્રી ઘુમલી ગણેશ સેવકક્ષીઓ દ્વારા તા.૧૧/૦૪/૨૦૨૪ ના રોજ સાંજે ૫ કલાકે ‘નૂતન ધ્વજારોહણ’, સાંજે ૭:૦૦ કલાકે મહાપ્રસાદ’ તથા તા.૧૨/૦૪/૨૦૨૪ ના રોજ સવારે ૭:૦૦ કલાકે પ્રસાદ તેમજ ચા પાણીની વ્યવસ્યા કરવામાં આવેલ છે.
આ પવિત્ર દિવસે જાત્રાળુઓની જાત્રામાં સહભાગી - સહયોગી થવા માટે તમામ મહેશ્વરી સંપ્રદાયને ઉપસ્થિત રહેવા શ્રી ઘુમલી ગણેશ સેવકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. તેમ જયંત બી. વારસાખીયાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech