પોરબંદર શહેરમાં અનેક સ્ટ્રીટલાઇટો બંધ છે તેવી ફરિયાદ ઉઠવા પામતા ૧૫૬ જેટલી સ્ટ્રીટલાઇટના સમારકામ થયા છે તે ઉપરાંત તૂટેલી પાઇપલાઇનના રીપેરીંગની કામગીરી પણ આગળ વધી છે.
સ્ટ્રીટલાઇટ સમારકામ
ઇલેકટ્રિક વિભાગ દ્વારા છાયા તથા નરસંગ ટેકરી, સાન્દીપનિ, કડીયાપ્લોટ, મીલપરા, ભોજેશ્ર્વરપ્લોટ, વાડીપ્લોટ, કમલાબાગ, ખારવાવાડ અને ખાપટ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૮૧ સ્ટ્રીટલાઇટોનું સમારકામ કરવામાં આવેલ છે. તથા છાયા તથા દરિયારોડ, નરસંગ ટેકરી, કોળીવાડ, ઝુંડાળા, નવો કુંભારવાડો, બોખીરા, જ્યુબેલી અને ખાપટ જેવા અનેક વિસ્તારોમાં ૭૫ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.
પાઇપલાઇન સમારકામ
વોટરવર્કસ દ્વારા નવાપાડા, મચ્છીમાર્કેટના ટાંકાની અંદર વાલ્વ રીપેરીંગ તથા ભાટીયા બજાર, માધવપાર્ક, આશાપુરા ચોકડી, ગીતાનગર, બજાજ શોમ અને ખાપટ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગની કામગીરી કરવામાં આવેલ છે. તે ઉપરાંત વોટર વર્કસ દ્વારા રાજીવનગર, શ્રીજીનગર, રોયલ એવેન્યુ, રવિપાર્ક, ગીતાનગર, માતીનગર, યુગબજાજ શોમ પાસે તેમજ ભાટીયા બજાર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ છે.
વૃક્ષોની ડાળીઓનું ટ્રીમીંગ
ગાર્ડન વિભાગ દ્વારા નરસંગ ટેકરી વિસ્તારમાં વૃક્ષોની નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ તથા વસનજી ખેરાજ પ્રાથમિક શાળામાં જર્જરીત તેમજ જોખમી થયેલ ઝાડનું કટીંગ કરવામાં આવેલ છે. તથા ગાર્ડન વિભાગ દ્વારા ચોપાટીવીલા ગાર્ડનમાં વૃક્ષોની નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવેલ તથા કમલાબાગ, પાળીબાગ, ખીજડીપ્લોટ ગાર્ડન જેવા અનેક ગાર્ડનની સફાઇ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech