પોરબંદર નજીકના ઓડદર ગામનો યુવાન મોરબી સાથે નમકીનની સેલ્સ એજન્સીમાં સેલ્સમેન કમ ડ્રાઇવર તરીકે કામ કરતો હતો અને છોટા હાથી લઇને નીકળ્યો ત્યારે મોરબીની વાવડીચોકી પાસે તેની કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે. ત્યારે આ બનાવમાં સેલ્સ એજન્સીના માલિક દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મોરબી-૨ના સર્કીટ હાઉસ પાસે રહેતા અને મોરબી -માળીયા હાઇવે રોડ પર ગુજરાત એસ્ટેટમાં રાધિકા સેલ્સ એજન્સી નામની બાલાજી નમકીનનું હોલસેલ વેચાણ કરતા નિખીલ શિવલાલ બારેજીયા દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ મોરબી એ-ડિવિઝન સીટી પોલીસમાં નોંધાવવામાં આવી છે કે પોરબંદર નજીકના ઓડદર ગામનો રાજેશ કાંતિલાલ જોષી નામનો ૨૨ વર્ષનો યુવાન છેલ્લા એક મહિનાથી તેમની સેલ્સ એજન્સીમાં સેલ્સમેન કમ ડ્રાઇવર તરીકે કામ કરતો હતો અને હાલમાં ટીંબડી ગામના પાટીયા નજીક રહેતો હતો અને ફરીયાદી નિખીલભાઇના ગોડાઉનમાંથી છોટા હાથીમાં માલ ભરીને મોરબીના જુના બસસ્ટેશન તથા શનાળા રોડ વિસ્તારમાં અલગ અલગ દુકાનો પર માલ દેવા ગયો હતો અને રાત્રિના સમયે ગોડાઉનમાં જ તે સુઇ જતો હતો.
તા.૧-૧૨ના સવારે નિત્યક્રમ પ્રમાણે રાજેશ જોષી ગોડાઉન ખાતેથી માલ ભરી છોટા હાથી લઇ નીકળી ગયો હતો અને સાંજના સમયે તે પરત આવ્યો ન હતો. રાત્રીના ૧૧ વાગ્યે ફોન કર્યો હતો પરંતુ રીસીવ થયો ન હતો.તા. ૨-૧૨ના સવારે સાડા સાત વાગ્યે ફરિયાદીને ત્યાં ફરજ બજાવતા રાજુભાઇએ ફોન કરીને નિખીભાઇને એવુ જણાવ્યુ હતુકે તમારી એજન્સીનુ છોટા હાથી વાવડીચોકી પાસે પડયુ છે અને તેનો આગળનો કાચ તૂટેલો છે અને બાજુના ખેતરમાં ડ્રાઇવર રાજેશભાઇ જોષીની લાશ પડી છે.
આથી નિખીલભાઇ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક ત્યાં પહોચી ગયા હતા. તપાસ કરતા રાજેશના માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી અને લોહીલુહાણ હાલતમાં તે નજરે ચડયો હતો. તેની કલેકશન બેગ પણ ખાલી હતી અને ગાડીમાં કાગળો વેરવિખેર હતા. રાજુ જોષીનો મોબાઇલ પણ મળી આવ્યો ન હતો તેથી તેની લાશને પી.એમ. માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લવાઇ હતી પરંતુ ત્યારબાદ ફોરેન્સિક પી.એમ. માટે મૃતદેહને રાજકોટ લઇ જવામાં આવ્યો હતો.
મૃતક રાજેશના બહેનના સસરા સંજયભાઇ લાલજીભાઇ થાનકી રાજકોટના જકાતનાકા પાસે રહેતા હતા તેઓ તાત્કાલિક ત્યાં આવી ગયા હતા અને પૂછપરછ કરતા રાજેશને કોઇ સાથે ઝઘડો થયો હોય તેવું બન્યુ નથી તેમ જણાવ્યુ હતુ.
આથી અજાણ્યા ઇસમે કોઇપણ બાબતે તકરાર કરીને રાજેશ જોષીની હત્યા કર્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે આગળની તપાસ મોરબી પોલીસ ચલાવી રહી છે. હત્યારાઓ વહેલીતકે પકડાઇ જાય તેવી પોરબંદરમાંથી માંગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech