બજેટમાં આવકવેરા મુક્તિ મયર્દિા 12 લાખ રૂપિયા સુધી વધારી દીધા બાદ, સરકાર હવે વપરાશ વધારવા માટે જીએસટી દર ઘટાડવાનું વિચારી રહી છે.દેશમાં માંગ અને વપરાશને પ્રોત્સાહન આપવા માટે,જીએસટી કાઉન્સિલ હવે જીએસટી દર ઘટાડવાનું વિચારી રહી છે. એવું માનવામાં આવે છે કે સરકાર 12 ટકાના જીએસટી રેટ સ્લેબને નાબૂદ કરી શકે છે. અને જો જરૂર પડે તો આ સ્લેબ હેઠળ આવતા માલને 5% અથવા 18% સ્લેબમાં મૂકી શકાય છે. આ કવાયતનો ઉદ્દેશ્ય જીએસટી દર માળખાને તર્કસંગત બનાવતી વખતે વપરાશ વધારવાનો છે.
સૂત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર કેન્દ્રના સૂચનો બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના મંત્રીઓના જૂથ સમક્ષ મૂકવામાં આવ્યા છે. મંત્રીઓનું આ જૂથ દર ઘટાડીને જીએસટી ને તર્કસંગત બનાવવાનું વિચારી રહ્યું છે. એપ્રિલ 2023 માં, 600 વસ્તુઓ 18 ટકા જીએસટી સ્લેબ હેઠળ, 275 વસ્તુઓ 12 ટકાના દર સ્લેબ હેઠળ, 280 વસ્તુઓ 5 ટકાના સ્લેબ હેઠળ અને લગભગ 50 વસ્તુઓ 28 ટકાના સ્લેબ હેઠળ આવશે. 15મા નાણાપંચના અધ્યક્ષ એન કે સિંહે પણ ચાર જીએસટી દરોને બદલે ત્રણ સ્લેબની માંગ કરી છે. નાણા મંત્રાલય અને જીએસટી કાઉન્સિલે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. બજેટ સત્રનો પહેલો ભાગ પૂરો થઈ ગયો છે અને એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવશે જેમાં આ મુદ્દા પર ચચર્િ કરવામાં આવશે.
એક સંશોધન પત્ર મુજબ, જીએસટી દરોને તર્કસંગત બનાવવાનો આ યોગ્ય સમય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસી અનુસાર, જે ઉત્પાદનો પરજીએસટી મુક્તિ આપવામાં આવી રહી છે તેનો ફાયદો ઓછી આવક ધરાવતા જૂથ કરતાં સમૃદ્ધ પરિવારોને વધુ થઈ રહ્યો છે. ગરીબોના વપરાશ બાસ્કેટમાં 20 ટકાથી ઓછી વસ્તુઓ પર જીએસટી મુક્તિ ઉપલબ્ધ છે, જ્યારે હાલમાં અમીરોના વપરાશ બાસ્કેટમાં મોટાભાગની વસ્તુઓ પર જીએસટી મુક્તિની જોગવાઈ છે.
હકીકતમાં, ઘણા સમયથી એવી માંગ કરવામાં આવી રહી છે કે જીએસટી સ્લેબમાં ફેરફાર કરવામાં આવે અને દરોને તાર્કિક બનાવવામાં આવે. હાલમાં જીએસટી હેઠળ ચાર ટેક્સ સ્લેબ છે. તે ચાર સ્લેબ 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા છે. કેટલીક વૈભવી અને પાપી વસ્તુઓ પર અલગથી સેસ લગાવવાની જોગવાઈ છે. જીએસટી સ્લેબની સંખ્યા 4 થી ઘટાડીને 3 કરવાની માંગ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech