ભાવનગર જિલ્લામાં ગૌચરની જમીનો પર માથાભારે શખ્સો સહિત ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યુ હોવાનું વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેના કારણે પશુપાલકોની હાલત કફોડી બની છે. ત્યારે વલ્લભીપુરના ચમારડી ગામની ગૌચર જમીન પરનું ગેરકાયદેસર દબાણો દૂર કરવા સહિતની વિવિધ માંગ સાથે સિહોર મામલતદાર કચેરી ખાતે ડે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
વલ્લભીપુરના ચમારડી ગામે ગૌચર જમીન આવેલી છે. તેની ઉપર અસામાજિક તત્વો દ્વારા વર્ષોથી દબાણ કરી અડ્ડો જમાવી દેવામાં આવ્યો છે. તમામ અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ દબાણો દૂર કરવામાં નહીં આવતા માલધારી સમાજમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠયો છે. અગાઉ પણ રજુઆતો થઈ છે પરંતુ તંત્ર દ્વારા દબાણ દૂર કરાયા નથી કે દબાણકારોએ પણ દબાણ હટાવ્યા નથી.ભુમાફિયા રાજકીય વગ ધરાવતા હોઇ અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો ઉઠયા છે. અને દબાણકારોને છાવરવામાં આવતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યાં છે. આવા ગેરકાયદેસર દબાણો દૂર કરી ગૌચર ખાલી કરાવો નહિતર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, તેવી ચીમકી માલધારી સમાજે ઉચ્ચારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech