વચગાળાના બજેટમાં, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સામાન્ય લોકો માટે બેંક બચત ખાતામાં જમા કરાયેલા નાણાં પર કરમુકત વ્યાજની મર્યાદા વધારી શકે છે. હાલમાં, બચત ખાતામાં દર વર્ષે ૧૦,૦૦૦ પિયા સુધીની થાપણો પરનું વ્યાજ કરમુકત છે, જો વ્યાજ આ રકમ કરતાં વધી જાય તો લોકોએ ટેકસ સ્લેબ મુજબ આવકવેરો ચૂકવવો પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એવો અંદાજ છે કે સરકાર લોકોને રાહત આપવા માટે આ મર્યાદા વધારીને ૫૦,૦૦૦ પિયા કરી શકે છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં સરકારે સામાન્ય માણસને ટેકસ અને સ્ટાન્ડર્ડ ડિડકશનમાં રાહત આપી હતી. માનવામાં આવે છે કે આ વખતે પણ સરકાર આ દિશામાં જાહેરાત કરી શકે છે.
આવકવેરા અધિનિયમ ૧૯૬૧ ની કલમ ૮૦ ટીટીએ મુજબ, જો કોઈ વ્યકિત (૬૦ વર્ષથી ઓછી ઉંમરના) બેંકો, પોસ્ટ આફિસ અથવા સહકારી મંડળીઓમાં જાળવવામાં આવેલા બચત ખાતામાંથી ૧૦,૦૦૦ પિયાની સુધીની ટેકસમાં છૂટ મેળવી શકે છે. જો કે, કરદાતાઓ બેંક એફડી, રિકરિંગ ડિપોઝિટ, પોસ્ટ આફિસ ટાઈમ ડિપોઝિટ વગેરે પર મળતા વ્યાજ માટે આ કપાતનો લાભ લઈ શકતા નથી. યારે ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે, સેકશન ૮૦ ટીટીબી હેઠળ . ૫૦,૦૦૦ સુધીની વધારાની કપાત ઉપલબ્ધ છે, જે બચત ખાતા, એફડી અને અન્ય વ્યાજની આવક પર લાગુ થાય છે.
બચત ખાતા પર ખૂબ જ ઓછું વ્યાજ
હાલમાં, બચત ખાતામાં વાર્ષિક ૩–૪% વ્યાજ મળે છે. એફડી પર ૭% થી ૮.૬૦% વ્યાજ મળે છે. જો કે, કેટલીક ખાનગી બેંકો બચત ખાતા પર ૭% સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે, પરંતુ તેના માટે ખાતામાં ચોક્કસ મર્યાદાથી વધુ રકમ હોવી જોઈએ. નાની બચતને પ્રોત્સાહન આપવા માટે સરકારે ૨૦૧૨ના સામાન્ય બજેટમાં કલમ ૮૦ ટીટીએ હેઠળ આ કપાત રજૂ કરી હતી. જો કે, ત્યારથી કપાતની મર્યાદા અકબધં છે. લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી. તેથી માનવામાં આવી રહ્યું છે કે સરકાર મર્યાદા વધારવા પર વિચાર કરી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech