ગિરનારની ગોદમાં લીલી પરિક્રમાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.૩૬ કિલોમીટરના ટ પર કઠિન ગણાતા ટ પર હાર્ટએકેટથી મોત થવાના બનાવ થાય છે તત્રં દ્રારા હૃદય રોગના બનાવ બને તો દર્દીને ત્વરિત સારવાર મળે તે માટે આજે પરિક્રમા સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓને સીપીઆર તાલીમ આપવામાં આવી હતી.
ગિરનારની લીલી પરિક્રમામાં જંગલ વિસ્તારમાં નળ પાણીની ઘોડી અને માળવેલા ઘોડી બે વિસ્તારમાં કઠિન ચઢાણ રહે છે. પરિક્રમાના ટ પર ગત વર્ષે પાંચ દર્દીઓના હૃદય રોગથી મોત થયાના બનાવ નોંધાયા હતા. હૃદય રોગથી મોત થવાના બનાવ પણ વધી રહ્યા છે. પરિક્રમાના ટ પર મેડિકલ ટીમ રાખવામાં આવી છે.પરંતુ પરિક્રમા દરમિયાન જંગલના ચઢાણ વાળા રસ્તામાં ચાલતી વખતે દર્દીની તબિયત લથડે કે યાત્રીકોને હૃદયનો હત્પમલો આવે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તત્રં દ્રારા પરિક્રમામાં ફરજ પર રહેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ,અન્ન ક્ષેત્રના સંચાલકોને સીપીઆર તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ આપનાર ડો. અંજલી ઉનડકટના જણાવ્યા મુજબ સીપીઆર એટલે હૃદય અને ફેફસાને પુન:જીવતં કરવાની પ્રક્રિયા ગિરનાર લીલી પરિક્રમાનો ટ લાંબો અને ચઢાણ વાળો હોવાથી ડીહાયડ્રેશનના કારણે બેભાન થઈ જાય કે,હૃદય બધં પડી જવાની સ્થિતિમાં સીપીઆરની મદદથી ટૂંકા ગાળામાં લોકોનો જીવ બચાવી શકાય છે.
કલેકટર કચેરી સભાખડં ખાતે સિવિલના તબીબોની ટીમે તાલીમના માધ્યમથી હૃદય બધં પડી જવા કે કાર્ડિયાક એરેસ્ટની સ્થિતિમાં તબીબી સેવાઓ સાથે સંકળાયેલ નથી તેવા સામાન્ય લોકો પણ લોકોનો જીવ બચાવી શકે તે માટે લાઈવ ડેમો અને પ્રોજેકટરના માધ્યમથી તાલીમ આપવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech