ગઇકાલે સાંજે અને વ્હેલી સવારે ઠંડો પવન ફુંકાતા ટાઢોડુ: જનજીવન પર ભારે અસર
હાલારના જનજીવન ઉપર ઠંડીની ભારે અસર થઇ છે. આગામી દિવસોમાં હજુ કાતિલ ઠંડી પડશે તેવી હવામાન ખાતાની આગાહી આવી છે ત્યારે લોકોમાં અત્યારથી જ ફફડાટ ફેલાયો છે. લોકોએ એસી, પંખા બંધ કરી દીધા છે અને ઘરમાં પણ તાપણાનો સહારો લીધો છે ત્યારે સતત 18 દિવસથી જામનગર સહિત સમગ્ર હાલારમાં ટાઢોડુ યથાવત રહ્યું છે. જેના લીધો જીરાના પાકમાં આગામી દિવસોમાં સારો ફાયદો થશે તેમ ખેતીવાડી નિષ્ણાંતોનું કહેવું છે. જો કે આજે ઠંડીનું પ્રમાણ ગઇકાલ કરતા વઘ્યું છે અને આગામી દિવસોમાં વધુ ઠંડી પડે તેવી શકયતા છે. આજે સવારે આછેરી ઝાકળ જોવા મળી હતી, જો કે હવામાં ભેજ 78 ટકા રહ્યો હતો. આજે સવારથી ગઇકાલ સાંજની જેમ જ ઠંડો પવન ફુંકાતા વોકીંગ કરનારાઓને મુશ્કેલી પડી હતી.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 13 ડીગ્રી, મહત્તમ તાપમાન 28.5 ડીગ્રી રહ્યું હતું, હવામાં ભેજ 78 ટકા અને પવનની ગતિ 15 થી 20 કિ.મી. પ્રતિકલાક રહી હતી. ઠંડીને કારણે દાંડીયા હનુમાન, ભીડભંજન, ટાઉનહોલ પાસે ડીકેવી કોલેજ, ખોડીયાર કોલોની વિસ્તારમાં ફુટપાથ પર સુતા કોર્પોરેશનના સેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી પણ શ કરવામાં આવી છે, જામનગર શહેરમાં ચા, કોફી, કાવો સહિતની વસ્તુઓમાં વેંચાણ વધી ગયું હતું, ગામડાઓમાં પણ ઠંડીની અસર જોવા મળી હતી, છેલ્લા બે દિવસથી જામનગરથી બહારગામ જતી એસ.ટી. બસ અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા થોડી ઘટેલી જોવા મળી હતી. બીજી તરફ ગરમ કપડાની બજારમાં પણ વેંચાણ વધી ગયું હતું અને લોકો સ્વેટર, શાલ, મફલર, જેકેટ અને અન્ય ગરમ કપડા ખરીદવા માટે બજારમાં જોવા મળ્યા હતાં, આ વખતે લગભગ એકાદ મહીનો ઠંડી મોડી શ થઇ છે, હવે આખો મહીનો ઠંડીનો રહે તેવી શકયતા છે તેમ હવામાન ખાતાનું કહેવું છે.
હાલારના તાલુકા મથકો ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર, જામજોધપુર, ભાણવડ, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડીયા, સલાયા, ફલ્લા, ભાટીયા સહિતના ગામોમાં પણ આજ સવારથી ઠંડક જોવા મળી છે. જામનગરની આજુબાજુમાં ગામડાઓમાંથી હટાણુ કરવા આવતા લોકોને પણ તકલીફનો સામનો કરવો પડયો છે જયારે સવારે 5 થી 9 દરમ્યાન એસ.ટી.ના બસ વ્યવહાર ઉપર પણ અસર પડી છે.
રાજયના હવામાન ખાતાએ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ઠંડી વધશે અને તાપમાન 10 ડીગ્રી આસપાસ થઇ જશે ત્યારે ગામડાઓમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી છે, ગઇકાલે સાંજે જે રીતે ઠંડો પવન ફુંકાયો હતો તે જોતા ગામડાઓમાં પણ વ્હેલી બજારો બંધ થઇ ગઇ હતી, જામનગરમાં પણ ગરમ પીણાનું વેંચાણ વઘ્યું હતું, આજે સવારે વોકીંગ કરનારાઓને પણ ઠંડીની અસર જોવા મળી હતી. છેલ્લા પાંચ દિવસથી સતત ઝાકળ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના કારણે હાઇવે પર વાહન ચાલકો ખુબ જ પરેશાન થયા હતાં, આજે ઝાકળમાં રાહત છે પરંતુ ભેજનું પ્રમાણ 76 ટકા થઇ ગયું છે જેથી વળી પાછી ઠંડી આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech