પોરબંદરમાં વેરા ભરવામાં અખાડાઓ કરનારા સામે ઝુંબેશને ઉગ્ર બનાવીને મહાનગરપાલિકાના તંત્રએ સપાટો બોલાવી વધુ પાંચ મિલ્કતો સીલ કરી દીધી છે અને ૧૧ આસામીઓએ સ્થળ ઉપર જ વેરો ભરી આપ્યો હતો.પોરબંદર મહાનગરપાલિકા દ્વારા માર્ચ એન્ડીંગ સમયે વેરાવસુલાતની ઝુંબેશને રોજીંદી પ્રક્રિયા બનાવીને ઠેર- ઠેર કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર (પી)ની સૂચના અનુસાર હાઉસ ટેકસ વિભાગ દ્વારા છાયા પ્લોટની અલગ-અલગ કુલ સોળ બિન રહેણાંક મિલ્કતોમાં વસુલાત ઝુંબેશની કામગીરી કરવામાં આવતા ૧૧ આસામીઓ દ્વારા ા. ૧,૪૨,૫૬૭ સ્થળ ઉપર ભરપાઇ કરી આપેલ અને તે પૈકીની બાકી રહેતી પાંચ મિલ્કતોના ા. ૧,૬૬,૮૩૦ ભરવામાં નહી આવતા તે મિલ્કત સીલ કરવામાં આવેલ છે.અને આ વેરાવસુલાત ઝુંબેશ વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech