મોટાભાગના એક્ઝિટ પોલ્સે જમ્મુ અને કાશ્મીરમાં ત્રિશંકુ સદનના સંકેત આપ્યા છે. તેથી હવે તમામની નજર એ પાંચ સભ્યો પર છે જેમને લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા જમ્મુ અને કાશ્મીર વિધાનસભા માટે નોમિનેટ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, તેઓને ગૃહની પ્રથમ બેઠક પહેલા નોમિનેટ કરવામાં આવશે અને ચૂંટાયેલા સભ્યોની જેમ જ બહુમત પરીક્ષણમાં મતદાન કરી શકશે. આ ધારાસભ્યો સરકાર બનાવવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. નોમિનેશન સાથે, ગૃહની સંખ્યા વધીને 95 અને બહુમતનો આંકડો 48 થઈ જશે. એક્ઝિટ પોલ અનુસાર, કોઈપણ દાવેદાર પોતાના દમ પર આ આંકડા સુધી પહોંચે તેવી શક્યતા નથી. એલજી કેન્દ્ર-નોમિની છે તે જોતાં, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ડરવા લાગ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિભાજિત જનાદેશની સ્થિતિમાં એલજી આ જોગવાઈનો ઉપયોગ ભાજપને મદદ કરવા માટે કરી શકે છે. એનસી અને કોંગ્રેસે દાવો કર્યો છે કે એલજી ફક્ત મુખ્યમંત્રીની મદદ અને સલાહ પર જ સત્તાનો ઉપયોગ કરી શકે છે. ભાજપે કોંગ્રેસ અને એનસીના આ દાવાને રદિયો આપ્યો છે. ભાજપે કહ્યું કે કાયદામાં સ્પષ્ટપણે લખેલું છે કે નામાંકન એ એલજીનો વિશેષાધિકાર છે. આ નોમિનેશન પ્રક્રિયાનો ઉલ્લેખ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 ની કલમ 15 માં કરવામાં આવ્યો છે, જેમાં 26 જુલાઈ, 2023 ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા પુડુચેરી વિધાનસભા પર આધારિત છે, જ્યાં ત્રણ નામાંકિત સભ્યો ચૂંટાયેલા ધારાસભ્યોની સમાન કાર્ય કરે છે અને તેમને મત આપવાનો અધિકાર છે. પુડુચેરીના ભૂતપૂર્વ એલજી કિરણ બેદીના કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારની સલાહ લીધા વિના યુટી એસેમ્બલીમાં બે સભ્યોને નોમિનેટ કરવાના નિર્ણયને મદ્રાસ હાઈકોર્ટમાં અને બાદમાં 2017-2018માં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના ઉપાધ્યક્ષ રવિન્દર શમર્એિ કહ્યું, અમે સરકારની રચના પહેલા પાંચ એલજી ધારાસભ્યોના નામાંકનનો વિરોધ કરીએ છીએ. રવિન્દર શમર્એિ કહ્યું કે આ પ્રકારનું કોઈપણ પગલું લોકશાહી, લોકોના આદેશ અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતો પર હુમલો છે. જો કે, ભાજપ્ના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી કવિન્દર ગુપ્તાએ કહ્યું આ સભ્યોને નિયમો અનુસાર નામાંકિત કરવામાં આવશે. એલજી પાસે તેને નોમિનેટ કરવાની વિવેકબુદ્ધિ છે અને તે નિયમો અનુસાર કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech