ભાવનગર શહેરની જને ગૌષે આઝમ ઝુલુસ કમીટી દ્વારા પીરાને પીર હઝરત ગૌપુલ આઝમ દસ્તગીરની ગ્યારમી શરીફનું એક શાનદાર ઝુલુસ તા. ૧૫ને મંગળવારે શહેરની ગૌષીયા મસ્જીદ વડવા નેરા માંથી નીકળ્યુ હતું.
આ ઝુલુસ શહેરના વડવા તલાવડી વિસ્તારમાં આવેલ ગૌષીયા મસ્જીદ વડવા તલાવડીથી નીકળ્યુ હતું જે ઈમામવાડા ચોક, અલકા ચોક, મતવા ચોક, શેલારસા ચોક થઇને શહેરના આંબાચોક જુમ્મા મસ્જીદ પાસે સાંજે ૭:૩૦ કલાક સંપન્ન થયુ હતુ.
આ ઝુલુસમાં જુદી જુદી મસ્જીદના પેશઈમામ સાહેબો, મૌલાના સાહેબો, મદ્રેસાના બાળકો, મીલાદ પાર્ટી ના સભ્યો, ઇસ્લામી બેનરો, ઇસ્લામી નિશાનો સાથે સમસ્ત મુસ્લીમ સમાજના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઝુલુસ માં જોડાયા હતા. અને ઇસ્લામી નારાઓ લગાવવામાં આવ્યા હતા. આ ઝુલુસ નું ઠેર ઠેર સ્વાગત કરાયુ હતુ. તેમજ ન્યાઝ, ઠંડા પીણા, દુધ કોલ્ડ્રીંક્સ વિગેરેનું વિતરણ કરાયુ હતુ. આ ઝુલુસને સફળ બનાવવા જઘ્ને ગૌષે આઝમ ઝુલુસ કમીટીના પ્રમુખ બનુહાસીમ સૈયદ હુસેનમીયાબાપુ અલફદ્દાક સહીતના આગેવાનો, કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech