ડેન્ગ્યુ એ મચ્છરજન્ય રોગ છે જેમાં પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટી શકે છે. પ્લેટલેટની સંખ્યા ઓછી હોવાને કારણે કટ કે સ્ક્રેચમાંથી લોહી નીકળવાનું બંધ થતું નથી અને તેનાથી ઘણી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. જો કે, સ્વસ્થ આહારનું પાલન કરવાથી ડેન્ગ્યુમાંથી ઝડપી પુનઃપ્રાપ્તિ કરવામાં મદદ મળી શકે છે. આ માટે ખાસ કરીને પપૈયા, દાડમ અને બીટરૂટને તમારા આહારમાં સામેલ કરો.
ડેન્ગ્યુ એક વાયરલ ચેપ છે, જે મચ્છર કરડવાથી થાય છે. ડેન્ગ્યુના મચ્છરો ગંદા પાણીમાં પેદા થાય છે. ડેન્ગ્યુની સૌથી ખતરનાક બાબતએ છે કે તેનાથી પ્લેટલેટ કાઉન્ટમાં ઘટાડો થાય છે. એક સ્વસ્થ વ્યક્તિમાં 1.5 લાખથી 4 લાખ બ્લડ પ્લેટલેટ્સ હોય છે, પરંતુ ડેન્ગ્યુના કિસ્સામાં તેમની સંખ્યા ઝડપથી ઘટી જાય છે. જેના કારણે દર્દીની રોગપ્રતિકારક શક્તિ એકદમ નબળી પડી જાય છે. જેના કારણે બીજી ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે, તેથી પ્લેટલેટ કાઉન્ટ વધારવા માટે આ ખાદ્ય પદાર્થોને આહારમાં સામેલ કરો.
પપૈયા
પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં પપૈયાના પાન ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. પપૈયાના પાંદડામાં એસીટોજેનિન નામનું ફાઈટોકેમિકલ હોય છે, જે ડેન્ગ્યુમાં ઝડપથી ઘટતા પ્લેટલેટ્સની સંખ્યામાં ઝડપથી વધારો કરવાનું કામ કરે છે. પપૈયાના પાનનો રસ પીવાથી શ્વેત રક્તકણો ઉત્પન્ન થાય છે.
બીટ
ડેન્ગ્યુના દર્દીઓએ ખાસ કરીને આહારમાં બીટરૂટનો સમાવેશ કરવો જોઈએ. બીટરૂટમાં આયર્ન હોય છે, જે હિમોગ્લોબિન વધારવાનું કામ કરે છે. તેનું સેવન સલાડ, સૂપ કે જ્યુસ જેવા કોઈપણ સ્વરૂપમાં કરી શકો છો.
સાઇટ્રસ ફળો
ડેન્ગ્યુના દર્દીઓએ પણ પ્લેટલેટ્સની સંખ્યા વધારવા માટે ખાટાં ફળોનું સેવન કરવું જોઈએ. ખાટા ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. નારંગી, લીંબુ, આમળા જેવા ફળ ખાવાથી પ્લેટલેટ્સ તો વધે જ છે સાથે સાથે ઈમ્યુનિટી પણ મજબૂત થાય છે.
દાડમ
દાડમમાં વિટામિન સીની સાથે એન્ટીઑકિસડન્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત દાડમમાં આયર્ન પણ સારી માત્રામાં હોય છે. જે પ્લેટલેટ્સ વધારવામાં ખાસ ભૂમિકા ભજવે છે. દાડમને આ રીતે ખાવા સિવાય તેનો જ્યુસ બનાવીને પણ પી શકો છો.
પાલક
પાલકમાં વિટામિન K ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં અસરકારક છે. વિટામિન Kની સાથે પાલકમાં ફોલેટ પણ હોય છે. પાલકને શાક, સૂપ કે જ્યુસના રૂપમાં પણ લઈ શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech