જામનગરના દરેડ ફેસ-૩માં રહેતા એમપીના યુવાન અને સરલાબેન ત્રિવેદી આવાસ ભવન ખાતે રહેતા બંગાળી યુવાન આ બંને જુદા જુદા સમય દરમ્યાન રાત્રીના ઘરે સુઇ ગયા હોય દરમ્યાન નિંદ્રવસ્થામાં તેમના મૃત્યુ નિપજયા હોવાનું ગઇકાલે પોલીસમાં જાહેર કરાયું છે.
દરેડ ફેસ-૩, પ્લોટ નં. ૩૬૧૮ ખાતે રહેતા મુળ એમ.પી.ના ગોવિંદનગરના વતની કુંવરસિંહ જગરામસિંહ જાટવ (ઉ.વ.૩૬) નામના યુવાન ગત તા. ૩ના મોડી રાત્રીના ઘરે સુતા હોય અને સવારે જગાડતા જાગેલ નહીં, બેભાન હાલતમાં સારવારમાં લઇ જતા ફરજ પરના તબીબે તપાસી મરણગયાનું જણાવ્યુ હતું. આ અંગે હાલ દરેડ ખાતે રહેતા રીનાબેન કુંવરસિંહ જાટવ દ્વારા પંચ-બીમાં જાણ કરવામાં આવી હતી.
બીજા બનાવમાં જામનગરના સરલાબેન ત્રિવેદી ભવન ખાતે રહેતા પ્રાસુ સોમ બંગાળી (ઉ.વ.૨૭) ગત તા. ૨૭-૪-૨૪ના રોજ પોતાના ઘરે સુતા હોય ત્યારે તેઓના માતાએ ઉઠાડતા ઉઠેલ નહીં અને જી.જી. હોસ્પીટલ લઇ જતા, ફરજ પરના તબીબે તપાસી કોઇ અગમ્ય કારણસર મરણગયાનું જણાવ્યુ હતું, આ બનાવ અંગે મુળ વેસ્ટ બંગાળ, ગોપાલપુરના વતની અને હાલ સરલાબેન ત્રિવેદી ભવન ખાતે રહેતા મહાદેવ સોમ બંગાળીએ સીટી-સી પોલીસમાં ગઇકાલે જાહેર કર્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech