હવે જે ખેડૂતોને ૨ લાખ પિયા સુધીની લોનની જર છે તેઓ કોઈપણ મિલકત ગીરો રાખ્યા વિના આ નાણાં મેળવી શકશે. જો કે, તેઓએ ઓળખ અને અન્ય મહત્વપૂર્ણ હેતુઓ માટે અન્ય દસ્તાવેજો આપવા પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્રારા નાના અને સીમાંત ખેડૂતોને ક્રેડિટ લાઈનમાં સામેલ કરવા માટે આ જાહેરાત કરવામાં
આવી છે.
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેંકે ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોન મર્યાદામાં વધારો કર્યેા છે. હવે ખેડૂતો કંઈપણ ગીરો રાખ્યા વગર ૨ લાખ પિયા સુધીની લોન મેળવી શકશે. અગાઉ આ મર્યાદા ૧.૬ લાખ પિયા હતી, જેને આરબીઆઈએ વર્ષ ૨૦૧૯માં વધારી હતી. પાંચ વર્ષ બાદ આવા પગલાને ખેડૂતો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે.
હવે જે ખેડૂતોને ૨ લાખ પિયા સુધીની લોનની જર છે તેઓ કોઈપણ મિલકત ગીરો રાખ્યા વિના આ નાણાં મેળવી શકશે. જો કે તેઓએ ઓળખ અને અન્ય મહત્વપૂર્ણ હેતુઓ માટે અન્ય દસ્તાવેજો આપવા પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્રારા નાના અને સીમાંત ખેડૂતોને ક્રેડિટ લાઈનમાં સામેલ કરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે. તેનાથી વધુ ખેડૂતો લોનનો લાભ મેળવી શકશે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોલેટરલ લોન એ એવી લોન છે જેમાં લોન લેતી વખતે કેટલીક સિકયોરિટી જમા કરાવવાની હોય છે. સામાન્ય રીતે બે પ્રકારની લોન હોય છે. પ્રથમ અસુરક્ષિત (વ્યકિતગત લોન, ક્રેડિટ કાર્ડ પર લોન) જેમાં કોઈ સિકયોરિટી જમા કરાવવાની જર નથી. બીજી હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન, બિઝનેસ લોન જેવી સુરક્ષિત લોન છે. આ લેતી વખતે બેંક તમારી પાસેથી સિકયોરિટી લે છે.
હવે આ સુરક્ષા પણ બે પ્રકારની છે. પ્રથમ પ્રાઇમ છે અને બીજું કોલેટરલ સિકયોરિટી છે. જો ઉધાર લેનાર લોન ચૂકવવામાં અસમર્થ હોય, તો બેંક સિકયોરિટી વેચીને તેના પૈસા તેમાંથી વસૂલે છે. કોલેટરલ ફ્રી લોન ખાનગી અને સરકારી બંને બેંકો પાસેથી લઈ શકાય છે. આ માટે વ્યાજ દર ૧૦.૫૦ ટકાથી વધુ છે. કોઈપણ મિલકત ગેરંટી વિના કોલેટરલ ફ્રી લોન આપવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech