જૂનાગઢમાં ભૂતનાથ મહાદેવ મંદિરના ગાદીપતિનો વિવાદ ઉભો થયો છે. ગઈકાલે જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, એડવોકેટ હેમાબેન શુકલ અને ભુતનાથ મહાદેવ મંદિરના બ્રહ્મલીન મહતં વસતં ગીરીબાપુના ચેલા શિવગીરીએ રાજકોટમાં પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં શિવગીરીજીએ મહંતેે વીલ બનાવીનેે બધી જ જવાબદારી શિવગીરીને સોંપી હોવાનો દાવો કર્યેા હતો. પત્રકાર પરિષદમાં શિવગીરીએ આક્ષેપ કર્યેા હતો કે ૨૪ એપ્રિલ ૨૦૨૩ના રોજ પચં ગુની હાજરીમાં જ મારી ચાદર વિધિ કરવામાં આવી. ત્યારબાદ મંદિરની સેવા પૂજા કરતો હતો. વસતં ગીરીબાપુની જુલાઈમાં તબિયત બગડી કયારે ત્રણ દિવસ વેન્ટિલેટર પર રાખ્યા હતા. તને ત્યાર પછી તેના દેહ વિલય થયો હતો. તેના પાર્થિવ દેહને ભુતનાથ મંદિરે લાવ્યા હતા ત્યાં મહેશગીરીબાપુએ જે પોતાની જાતને ભુતનાથનો વારસદાર ગણાવે છે તેને જ અડધી કલાકમાં સમર્થકો સાથે મંદિરમાં કબજો સમાવી લીધો હતો. વસતં ગીરીબાપુની અંતિમ ઈચ્છા હતી કે જે ચીકુડીના ઝાડ નીચે સમાધિ આપવી એ અંગે વાત કરતા મહેશગીરીએ મને કીધું કે આ બધી વસ્તુ મારે જોવાનું છે તું સાઈડમાં બેસી જા તાં કામ નથી. વિધિ બાદ મોડી રાત્રે ૫૦ લોકોએ આવી મંદિર પર ગેરકાયદેસર કબજો સમાવી દીધો હતો અને પૂજા, વ્યવસ્થા અને સૂવાનો મ મનો લોક કરી દસ્તાવેજો કબજે કરી લીધા છે. બીજા દિવસે મહેશ ગીરીએ ટ્રસ્ટીઓ સાથે આવી આજથી અહીંનું મેનેજમેન્ટ મારે કરવાનું છે દખલગીરી કરતા નહીં. હત્પં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સ્થાપિત થયો છું. તેમ જણાવ્યા બાદ મહેશ ગીરી બાપુ સાથે બાથ ભીડી શકીએ તેમ ન હતા .અમારા જુના ટ્રસ્ટી ગોવિંદભાઈના પણ રાજીનામા પર સહી લીધી હતી અને તારી સેવાની જર નથી તું આવતો નહીં તું આવીશ તો મજા આવશે નહીં કહી દીધું હતું. શિવગીરીના જણાવ્યા મુજબ છેલ્લ ે હત્પં એક બચ્યો હતો હત્પં મારા ગુનો એકમાત્ર ચાદર વિધિ કરેલો ચેલો હતો મને બોલાવી કીધું કે તારી સેવાની જર નથી તારે પણ ભગવો ઉતારવાનો છે અહીંથી જતું રહેવાનું છે જે કાંઈ થશે તેનો જવાબદાર તું જ રહીશ જેથી હત્પં નીકળી ગયો હતો અને ડ્રાઇવરની નોકરી કરી રહ્યો છું.
અહીંથી નીકળ્યા પછી મારા જીવનું જોખમ છે. ભુતનાથ મહાદેવની સેવા કરવા માગું છું એટલે લડત આપું છું આ લડતમાં મારો જીવ પણ જઈ શકે છે. વસિયત નામાના એફિડેવિટમાં બે વ્યકિતએ સાક્ષી તરીકે સહી કરી છે જેમાં એક ભાવેશ સુખાનંદી નામનો છોકરો જે નાના હતો ત્યારથી ભુતનાથ મંદિરમાં રહી ભણ્યો છે અને અત્યારે ધોરાજી ગુકુળમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે ને ત્રણે ત્રણ ટંકે આરતી કરતો હતો અને મહેશગીરીએ આવ્યા બાદ ભાવેશને પણ બીજા દિવસે બોલાવીને આરતી કરવાનો આવતા તેમ કહી દીધું હતું. જેથી મહેશગીરી સામે પણ શિવગીરીએ આક્ષેપ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech