હાલ રાજકોટમાં રાધામીરા પાર્કમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ સુરેન્દ્રનગરના ધ્રુમઠ ગામે રહેતા પતિ અને મોરબીમાં રહેતા જેઠ– જેઠાણી તેમજ સસરા સામે શારીરિક માનસિક ત્રાસ આપી કાઢી મુકયાની ફરિયાદ નોંધાવી છે.
હાલ રાજકોટમાં મોરબી રોડ પર રાધામીરા પાર્કમાં વીસેક દિવસથી માવતરના ઘરે રહેતી પરિણીતા દીક્ષિતાબેન (ઉ.વ ૨૫) દ્રારા મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધાંગધ્રાના ધ્રુમઠ ગામે રહેતા પતિ હાર્દિક નાગરભાઈ જાગાણી, સસરા નાગર વાલજીભાઈ જગાણી, મોરબીમાં રહેતા જેઠ જતીન જાગાણી અને જેઠાણી કિરણના નામ આપ્યા છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૭૧૦૨૦૨૧ ના તેના મોરબીમાં રહેતા હાર્દિક સાથે લ થયા હતા. આ તેના ત્રીજા લ છે. લના થોડો સમય બાદ જ પતિને અન્ય ક્રી સાથે અફેર હોવાની જાણ થઈ જતા આ બાબતે પતિને કહેતા તેણે કહ્યું હતું કે,તું કોઈને કહેતી નહીં મારા પિતા મરી જશે તેને અગાઉ એટેક આવી ગયો છે તેમ કહી ડરાવી હતી. થોડા સમય બાદ જેઠ– જેઠાણી નાની નાની વાતમાં મેણાટોણા મારવા લાગ્યા હતા અને ઝઘડાઓ કરતા હતા. લના ત્રણ મહિનામાં જ તેમને અલગ કરી દીધા હતા. જેથી પતિ પત્ની બંને ભાડાના મકાનમાં રહેતા હતા.
પતિ ઇલેકટ્રીકનું કામ કરતો હોય પરંતુ ઘરમાં પિયા આપતો ન હોય પરિણીતા બ્યુટી પાર્લરમાં નોકરી શ કરી હતી અને મોરબીમાં પતિને દેણું થઈ જતા જેથી બંને અમદાવાદ રહેવા ગયા હતા. અહીં પણ પતિને અન્ય ક્રી સાથે વાતો કરતો હતો સસરા કહેતા હતા કે તું બ્રાહ્મણ છો અને તારા ત્રીજા લ પટેલમાં કર્યા છે તો હવે તારે મારા દીકરાનું સહન કરવું જ પડશે. આ બધું સહન ન થતા પરિણીતાએ પિયરમાં વાત કરી હતી. બાદમાં સાસરીયા વાળો સમાધાન કરી તેડી ગયા હતા. ત્યારબાદ ફરી ત્રાસ આપવાનું શ કરી દીધું હતું જે બાબતે પતિને કહેતા તેણે ઝઘડો કરી ઘરમાંથી કાઢી મૂકી કહ્યું હતું કે તારે જે કરવું હોય તે કરી લેજે, તું તારો દીકરો લઈને અહીંથી જતી રહે. બાદમાં પરિણીતા અહીં માવતરના ઘરે આવી ગઈ હતી અને ત્યારબાદ તેણે આ પોલીસ ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech