મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ તેના નાના પુત્ર ઉમર અંસારીએ પિતાની લાશ જોયા બાદ કહ્યું કે તેના પિતાને ઝેર આપવામાં આવ્યું હતું. ઉમરે કહ્યું કે લોકોને આઈસીયુમાંથી વોર્ડમાં શિટ કરવામાં આવે છે પરંતુ તેઓએ મારા પિતાને જેલમાં ધકેલી દીધા.૧૯મીએ તેમના ભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું. આ પછી તેની તબિયત લથડી હતી. આ પછી તેને આઈસીયુમાં લાવવામાં આવ્યા હતા. ૧૨ કલાક સુધી એટલું દબાણ હતું કે ડોકટરો પણ તેની યોગ્ય સારવાર કરી શકયા ન હતા.મારા પિતાને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું હતું . પણ કોઈ સાંભળતું જ ન હતું. હવે આખા દેશને પણ ખબર પડી ગઈ છે.બે દિવસ પહેલા હત્પં તેમને મળવા આવ્યો હતો, પરંતુ મને મળવા દેવામાં આવ્યો ન હતો. અમે પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહી રહ્યા છીએ કે તેને સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. અમે ન્યાયતંત્રનો સંપર્ક કરીશું, અમને તેમાં પૂરો વિશ્વાસ છે.
પિતાના નિધન બાદ મુખ્તાર અંસારીના નાના પુત્ર ઉમર અંસારીએ આરોપ લગાવ્યો છે કે આ હત્યા છે. આની તપાસ થવી જોઈએ. મારા પિતાએ વારંવાર કહ્યું હતું કે તેમણે ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે. ઉમરે જેલ પ્રશાસન પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું કે બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મોટા ભાઈ અબ્બાસના અંતિમ સંસ્કાર માટે પેરોલ કોર્ટમાં અપીલ કરશે.
તેણે કહ્યું કે મારા પિતાને તેમના ભોજનમાં ઝેર આપવામાં આવતું હતું અને તેમને સંપૂર્ણ સારવાર આપવામાં આવી ન હતી. આ મૃત્યુ નથી, આ હત્યા છે. અમે કાયદાકીય માધ્યમથી તપાસ હાથ ધરવા માટે જરૂરી તમામ પ્રયાસો કરીશું. જ યારે તેણે ૩:૩૦ વાગ્યે મારી સાથે વાત કરી ત્યારે તેણે મને કહ્યું કે હું બેહોશ થઈ રહ્યો છું. તે તેની મુઠ્ઠીઓ બધં કરી શકતા ન હતા કારણ કે તે ખૂબ જ નબળાઈ અનુભવતા હતા. પોસ્ટમોર્ટમ વિશે મને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. વહીવટીતંત્રે માનવતા દાખવવી જોઈએ કે તેઓ તેને તેના પિતાના અવસાન પ્રસંગે મોકલે. સમર્થકોને મારી અપીલ છે કે ધીરજ રાખો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech