મહાજન ટ્રસ્ટ તથા હરસિદ્ધિ ગરબા મંડળનું સુંદર આયોજન
ખંભાળિયામાં બેઠક રોડ પર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિની બાળાઓના સુંદર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટ આયોજિત શ્રી હરસિધ્ધિ ગરબા મંડળના ઉપક્રમે યોજાયેલા આ નવરાત્રી મહોત્સવમાં રઘુવંશી જ્ઞાતિની બાળાઓ માતાજીની આરાધના કરે છે.
આગામી તારીખ 12 સુધીના આ પરંપરાગત આયોજનમાં 5 થી 12 વર્ષ સુધીની રઘુવંશી બાળાઓ પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાની રમઝટ બોલાવે છે. આ આયોજનમાં દરરોજ જલારામ બાપાના રાસ, માતાજીના સુંદર પહેરવેશ સાથે જુદા જુદા રાસ, લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ સમગ્ર આયોજન માટે હરસિધ્ધિ ગરબા મંડળની સમગ્ર ટીમ દ્વારા લોહાણા મહાજન ટ્રસ્ટના વડપણ હેઠળ સુચારું આયોજનમાં અન્ય સ્થળોએથી પણ લોકો ગરબાને ઓનલાઈન નિહાળી શકે તે માટે ટેકનોલોજીનો સહારો લઇને યુ-ટ્યુબ લાઈવ પણ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech