વિશ્વના સૌથી મોટા ધાર્મિક સ્થળ તરીકે વિકસિત થવા જઈ રહેલા અયોધ્યાધામની સુરક્ષા હવે વધુ મજબૂત કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ જન્મભૂમિ મંદિરની સુરક્ષા માટે ઈઝરાયેલમાં બનાવવામાં આવેલી એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવાનો આદેશ જારી કર્યેા છે.ઉત્તર પ્રદેશ સરકારે દસ એન્ટી ડ્રોન સિસ્ટમ ખરીદી છે. આમાંથી કેટલીક સિસ્ટમ અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં પણ તૈનાત કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ પોલીસે એન્ટ્રી ડ્રોન સિસ્ટમની પ્રાિ પ્રક્રિયા પૂર્ણ કરી છે.ઉત્તર પ્રદેશમાં પ્રથમ વખત રામજન્મભૂમિ મંદિરમાં એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. આ સિસ્ટમને અનેક તબક્કામાં પરીક્ષણ કર્યા બાદ લેવામાં આવી રહી છે. તે લગભગ પાંચ કિલોમીટર દૂર દુશ્મનના ડ્રોનને શોધીને તેને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે. ઉત્તર પ્રદેશ સરકારે આવી દસ સિસ્ટમ ખરીદી છે.ઉલ્લેખનીય છે કે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિા કાર્યક્રમ દરમિયાન એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશ પોલીસે નેશનલ સિકયુરિટી ગાર્ડ, સ્પેશિયલ સિકયુરિટી ગ્રુપ અને અન્ય સુરક્ષા દળો સાથે વિશેષ સંકલન દ્રારા તેમને બોલાવ્યા હતા. આ પહેલા દિલ્હીમાં આયોજિત –૨૦ કોન્ફરન્સની સુરક્ષા માટે પણ એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશ સરકારના પોલીસ અધિકારીઓએ કહ્યું કે તેઓ અયોધ્યા, લખનૌ, વારાણસી અને મથુરા અને અન્ય જિલ્લાઓમાં સંવેદનશીલ મથકો પર તૈનાત કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આનાથી પોલીસની મોનિટરિંગ સિસ્ટમ મજબૂત થશે. નવા યુગમાં ડ્રોનનો ખતરો પણ વધી ગયો છે. આ એન્ટી સિસ્ટમથી લેસર ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુશ્મનના ડ્રોનને હેક કરીને સુરક્ષિત રીતે લેન્ડ કરી શકાય છે.
એન્ટિ–ડ્રોન સિસ્ટમ શું છે?
માનવરહિત હવાઈ ઉપકરણોને અટકાવવા માટે એન્ટિ ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. તે ખાસ રેડિયો ફ્રીકવન્સી દ્રારા દુશ્મનના ડ્રોનને ઓળખે છે.તે ખાસ રેડિયો ફ્રીકવન્સી દ્રારા દુશ્મનના ડ્રોનને ઓળખે છે. આ પછી, શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી સુરક્ષા કર્મચારીઓ સુધી પહોંચે છે. આ પછી તેને ગોળી મારી શકાય છે.
સ્નાઈપર્સ પણ તૈનાત રહેશે
એન્ટી ડ્રોન સિસ્ટમની સાથે સ્નાઈપર્સ પણ તૈનાત કરવામાં આવશે. તેમને ડ્રોન મારવાની તાલીમ આપવામાં આવશે. તે એવા ડ્રોનને મારવાનું કામ કરશે કે જેમાં લેસર અને ટેકનોલોજીનો ઉપયોગ શકય નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech